
તાજેતરમાં રાજસ્થાન રોયલ્સ સામે થયેલી હારમાં લખનૌની કમજોરીઓ સ્પષ્ટ થઈ હતી. 160 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેનાથી તેમની બેટિંગ લાઇનઅપ પર પ્રશ્નો ઊભા થયા છે. આ હાર તેમની સતત ચોથી હાર હતી.

અત્યાર સુધી લખનૌએ 7 મેચમાં માત્ર 2 જીત મેળવી છે અને 4 પોઈન્ટ સાથે નવમાં ક્રમે છે. તેનો નેટ રન રેટ -1.277 છે, જે ટૂર્નામેન્ટમાં સૌથી ખરાબ છે. હવે LSG પાસે હજુ 7 મેચ બાકી છે, જેમાં રન રેટ સુધારવાની તક LSG પાસે સારી તક છે.

પ્લેઓફ માટે સામાન્ય રીતે 16 પોઈન્ટ જરૂરી હોય છે. લખનૌને હવે બાકીની 7માંથી ઓછામાં ઓછી 6 મેચ જીતવી જ પડશે. તો જ તેઓ 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે. જો તેઓ 5 મેચ જીતે છે, તો પણ પ્લેઓફની તક રહેશે, પરંતુ એ માટે નેટ રન રેટમાં સુધારો જરૂરી બનશે.

ગયા સિઝનમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યાં ઘણી ટીમો 14 પોઈન્ટ પર હતી, પરંતુ સારો નેટ રન રેટ હોવાને કારણે RCB પ્લેઓફમાં પહોંચી શકી હતી. લખનૌ માટે હવે દરેક મેચ ‘કરો યા મરો’ સમાન છે.

લખનૌનો પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. સતત બધી મેચમાં મોટાં અંતરથી જીત મેળવી જ લખનૌ પ્લેઓફની રેસમાં ટકી શકે છે. (PC:PTI/X)