
IPLના આ નિર્ણય પછી, RCB તેની બાકીની બંને મેચ ઘરઆંગણે નહીં રમે. 23 મેના રોજ RCB હૈદરાબાદ સામે ટકરાશે. 27 મેના રોજ, RCBને લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે. મતલબ કે હવે બેંગલુરુમાં IPL 2025ની કોઈ મેચ નહીં રમાય.

RCBની છેલ્લી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ 17 મેના રોજ બેંગલુરુમાં યોજાવાની હતી અને બોલિંગની વાત તો છોડી દો, તે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહીં. હવે 23 મેના રોજ પણ બેંગલુરુમાં વરસાદની શક્યતા છે. આ જ કારણ છે કે આ મેચને ખસેડવામાં આવી છે.

આ મેચ ઉપરાંત પ્લેઓફ અને ફાઈનલ મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર પંજાબના મુલ્લાનપુરમાં રમાશે. ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. (All Photo Credit : PTI)