
શ્રેયસ અય્યર કેપ્ટન બન્યા બાદ અત્યાર સુધી સતત આઠ ટોસ જીત્યા હતા. જોકે ઝિમ્બાબ્વે સામે બીજી T20 માં ટોસ હારતાં તેનો સિલસિલો તૂટી ગયો હતો.

સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. તેથી ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાની તક મળી હતી.

શ્રેયસ અય્યર સતત નવ ટોસ જીતવાનો વિશ્વ રેકોર્ડ બનાવવાથી પણ ચૂકી ગયો હતો. આ ખાસ સિદ્ધિ હવે તેના નામે થઈ શકી નહીં.

પ્રથમ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. તેમ છતાં બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે.

ઝડપી બોલર યશ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. (PC:X/BCCI)