
ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ T20 મેચ માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. સૌથી વધુ ચર્ચા વૈભવ સૂર્યવંશીની બાદબાકીને લઈને થઈ રહી છે.

15 વર્ષીય વૈભવે આ શ્રેણીની બીજી મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેને સતત ત્રણ મેચ રમવાની તક મળી હતી, પરંતુ હવે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે.

વૈભવ ત્રણ મેચમાં કુલ 42 રન જ બનાવી શક્યો હતો. દરેક ઈનિંગમાં તેણે ઝડપી શરૂઆત કરી અને આકર્ષક શોટ્સ રમ્યા, પરંતુ કોઈ પણ વખત મોટી ઈનિંગ રમી શક્યો નહોતો.

અંતિમ T20 માટે ટીમ મેનેજમેન્ટે ફરી એકવાર સંજુ સેમસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વૈભવની જગ્યાએ સેમસનને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે.

માત્ર ત્રણ મેચ બાદ જ વૈભવને બહાર કરવાનો નિર્ણય ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આગામી શ્રેણીમાં યુવા બેટ્સમેનને ફરી તક મળે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. (PC: PTI/Getty Images)
Published On - 8:10 pm, Sat, 11 July 26