
સ્વાભાવિક છે કે, વિરાટની ફિટનેસ પણ તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની છે અને તાજેતરમાં તે ઘૂંટણની ઈજાને કારણે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પહેલી મેચમાં રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, તાજેતરની ઈજા ટીમ ઈન્ડિયા અને તેના ચાહકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે કોહલીની ઈજા બહુ ગંભીર નથી. રિપોર્ટમાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોહલી ફાઈનલ માટે ફિટ છે અને મેદાનમાં ઉતરશે.

જો ટીમ ઈન્ડિયાએ ખિતાબ જીતવો હોય તો કોહલી ફિટ થાય અને મેદાનમાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટુર્નામેન્ટમાં વિરાટનું બેટ જોરદાર ચાલ્યું છે અને તેણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. પાકિસ્તાન સામે કોહલીએ 100 રનની અણનમ ઈનિંગ રમી હતી, પછી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર 84 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત અપાવી ફાઈનલમાં પહોંચાડી હતી. કોહલીએ ટુર્નામેન્ટની 4 ઈનિંગ્સમાં 217 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI)
Published On - 6:14 pm, Sat, 8 March 25