Breaking News: ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCIના ફિટનેસ મેનેજમેન્ટ પર ઊભા થયા સવાલ

ટીમ ઈન્ડિયામાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા સતત વધી રહી છે. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા સહિત છ ખેલાડીઓ હાલમાં ફિટનેસ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યપદ્ધતિ અને ખેલાડીઓના ફિટનેસ મેનેજમેન્ટ પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

| Updated on: Jul 22, 2026 | 5:34 PM
1 / 5
ટીમ ઈન્ડિયા માટે ફિટનેસ હવે સૌથી મોટો પડકાર બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી સતત ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, જેના કારણે ટીમના કોમ્બિનેશન પર પણ અસર પડી રહી છે. હાલમાં અનેક ખેલાડીઓ સારવાર અને રિહેબિલિટેશન માટે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે.

ટીમ ઈન્ડિયા માટે ફિટનેસ હવે સૌથી મોટો પડકાર બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી સતત ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, જેના કારણે ટીમના કોમ્બિનેશન પર પણ અસર પડી રહી છે. હાલમાં અનેક ખેલાડીઓ સારવાર અને રિહેબિલિટેશન માટે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે.

2 / 5
અહેવાલો મુજબ હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદર સહિત છ ખેલાડીઓ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલાક સ્થાનિક ક્રિકેટરો પણ ફિટનેસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં હાજર છે.

અહેવાલો મુજબ હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદર સહિત છ ખેલાડીઓ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલાક સ્થાનિક ક્રિકેટરો પણ ફિટનેસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં હાજર છે.

3 / 5
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા કેટલાક ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ માટે પણ બોલાવવામાં આવ્યા છે. તેમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. પસંદગી પહેલા તમામ ખેલાડીઓની તબિયત અને ફિટનેસ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા કેટલાક ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ માટે પણ બોલાવવામાં આવ્યા છે. તેમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. પસંદગી પહેલા તમામ ખેલાડીઓની તબિયત અને ફિટનેસ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

4 / 5
મીડિયા અહેવાલો અનુસાર હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરને સંપૂર્ણ મેચ-ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઈજામાંથી પરત ફર્યા બાદ બંને ખેલાડીઓને સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે વધુ સમયની જરૂર હતી, છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉતર્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરને સંપૂર્ણ મેચ-ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઈજામાંથી પરત ફર્યા બાદ બંને ખેલાડીઓને સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે વધુ સમયની જરૂર હતી, છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉતર્યા હતા.

5 / 5
સતત વધી રહેલી ઈજાઓને કારણે હવે BCCIના ફિટનેસ મેનેજમેન્ટ અને સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટમાં વધુ સાવચેતી રાખવામાં આવશે તો આવી પરિસ્થિતિથી બચી શકાય છે. (PC:PTI/X)

સતત વધી રહેલી ઈજાઓને કારણે હવે BCCIના ફિટનેસ મેનેજમેન્ટ અને સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટમાં વધુ સાવચેતી રાખવામાં આવશે તો આવી પરિસ્થિતિથી બચી શકાય છે. (PC:PTI/X)

Follow Us