
ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં એક મોટો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો છે.

ટીમ ઈન્ડિયાએ T20 ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે.

અહેવાલો અનુસાર, શુભમન ગિલને મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન પગના અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે લખનૌ T20 મેચમાંથી બહાર થઈ ગયો છે.

શુભમન ગિલ T20 મેચમાં સતત નિષ્ફળ રહ્યો છે, જેના કારણે સારા ફોર્મમાં રહેલા સંજુ સેમસનને બેન્ચ પર બેસવાની ફરજ પડી હતી.

શુભમન ગિલનું T20 માં ફોર્મ ખૂબ જ ખરાબ છે. 2025માં ગિલે 15 T20 માં 24.25 ની સરેરાશથી માત્ર 291 રન જ બનાવ્યા છે. તે છેલ્લી 18 T20માં અડધી સદી પણ ફટકારી શક્યો નથી. (PC: Getty Images/PTI)
Published On - 7:15 pm, Wed, 17 December 25