
12 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાયેલી સ્પેશિયલ જનરલ મિટિંગમાં BCCIના ઉપપ્રમુખે સંકેત આપ્યો હતો કે IPL 23 માર્ચથી શરૂ થઈ શકે છે. પરંતુ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, હવે બોર્ડે તેમાં કેટલાક ફેરફારો કર્યા છે. જો આ રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ આગામી 1 થી 2 દિવસમાં જાહેર થઈ શકે છે.

IPLની નવી સિઝનમાં ફાઈનલ સહિત કુલ 74 મેચ રમાશે. ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ મેચ ઉપરાંત 25 મે ના રોજ IPL 2025ની ફાઈનલ પણ રમાશે. મળતી માહિતી મુજબ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બે પ્લે-ઓફ મેચ રમાશે.

BCCIએ વેન્યુમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. આ વખતે IPL મેચો 10 ને બદલે 12 સ્થળોએ રમાશે. નવી સિઝનમાં 2 સ્થળો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ગુવાહાટી અને ધર્મશાળાનો સમાવેશ થાય છે.

પંજાબ કિંગ્સે ટુર્નામેન્ટમાં ધર્મશાળાને તેમના હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું છે, જ્યાં 3 મેચ રમાશે. જ્યારે રાજસ્થાન રોયલ્સે જયપુર સાથે ગુવાહાટીને પોતાનું બીજું સ્થાન બનાવ્યું છે, જ્યાં RR 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને 30 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. (All Photo Credit : PTI / X)