
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી ખેલાડીઓના વાર્ષિક કરાર રિન્યૂ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે BCCI આ ICC ટુર્નામેન્ટમાં ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કરવા માંગતા હતા. નવા કરારમાં ખેલાડીઓના ગ્રેડ અંગેનો નિર્ણય ત્રણેય ફોર્મેટમાં તેમના પ્રદર્શનના આધારે લેવામાં આવશે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે BCCI ગ્રેડ A પ્લસની પણ સમીક્ષા કરશે, જેમાં હાલમાં રોહિત, વિરાટ, બુમરાહ અને જાડેજાનો સમાવેશ થાય છે. આ ચારમાંથી રોહિત, વિરાટ અને જાડેજાને ટોચના ગ્રેડ એટલે કે ગ્રેડ A પ્લસમાંથી બાકાત રાખી શકાય છે. આનું કારણ એ છે કે BCCI ફક્ત તે ખેલાડીઓને જ પ્રાથમિકતા આપવાનું વિચારી રહ્યું છે જે ત્રણેય ફોર્મેટ રમી રહ્યા છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટાઈટલ જીત સાથે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમનું સ્થાન ગ્રેડ A પ્લસમાં જ રહેવાની અપેક્ષા છે. (All Photo Credit : PTI / X)
Published On - 4:45 pm, Fri, 7 March 25