
બીસીસીઆઈએ સ્વીકાર કર્યું કે, આ ઈવેન્ટને મેનેજમેન્ટ સારી રીતે કરી શકાતું હતુ. હવે આ ઘટનાને ગંભીરતાથી લેતા બોર્ડે પોતાની આગામી મીટિંગના એજન્ડામાં સામેલ કર્યું છે.

બીસીસીઆઈના એક સુત્રએ પીટીઆઈને જણાવ્યું કે, શનિવારની બેઠકમાં આઈપીએલમાં જીતના જશ્નના આયોજન માટે સ્પષ્ટ અને સુરક્ષિત દિશાનિર્દેશ બનાવવા પર ચર્ચા થશે. આવી ઘટના હવે ન સર્જાય તેના માટે મોટું પગલા લઈ રહી છે. આ દિશાનિર્દોશનો ઉદ્દેશ્ય ચાહકોની સુરક્ષા કરવી.

આ મીટિંગમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આગામી ક્રિકેટ સીરિઝ માટે વેન્યુના સિલેક્શ પર પણ વિચાર કરી શકાય.આ સીરિઝ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુબ મહત્વની છે.

આ માટે, યોગ્ય મેદાન પસંદ કરવું એ BCCI ની પ્રાથમિકતા રહેશે. બેઠકમાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે તે છે વય ચકાસણી પ્રક્રિયાની સમીક્ષા. બીસીસીઆઈનો આ પ્રયાસ વય-જૂથ ક્રિકેટમાં, ખાસ કરીને અંડર-16 (છોકરાઓ) અને અંડર-15(છોકરીઓ) માં, વય-છેતરપિંડી અટકાવવાનો છે. બોર્ડ આ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના રસ્તાઓ પર વિચાર કરશે.