
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ વડોદરાના મેદાન પર રમશે. તો બીજી મેચ 14 જાન્યુઆરીના રોજ રાજકોટના મેદાન પર રમાશે. ત્યારબાદ બંન્ને ટીમ ત્રીજી અને છેલ્લી વનડે મેચ 18 જાન્યુઆરીના રોજ ઈન્દોરના મેદાન પર રમશે. વનડે સીરિઝની તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરના 1 :30 કલાકે શરુ થશે.

વર્ષ 2026માં ટી20 વર્લ્ડકપ પણ રમાશે. જેની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રુપ સાથે મળી કરી રહ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી 5 મેચની ટી20 સીરિઝમાં નજર આ મેગા ઈવેન્ટની તૈયારીઓ પર પણ રહેશે. બંન્ને ટીમ વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ 21 જાન્યુઆરીના રોજ નાગપુરના મેદાન પર રમાશે.

તો બીજી અને ત્રીજી મેચ 23 અને 25 જાન્યુઆરીના રોજ રાયપુરના ગુવાહટી મેદાન પર રમાશે. ત્યારબાદ ચોથી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ વિશાખાપટ્ટનમના મેદાન પર રમશે. સીરિઝની છેલ્લી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ ત્રિવેન્દ્રમમાં રમશે.