
શ્રેયસ અય્યરે IPL 2025માં 17 મેચમાં 50.33ની સરેરાશ અને 175થી વધુના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા હતા. શ્રેયસે આ સિઝનમાં કુલ 6 અડધી સદી ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 97 રન હતો.

ભારતીય ટીમ હવે 20 જૂનથી શરૂ થતી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ શ્રેયસ અય્યરને સ્થાન મળ્યું નથી. ભારતીય ટીમને તેની ખૂબ જ ખોટ સાલશે.

ભારતીય ટીમમાં પાછા ફરવા માટે શ્રેયસ અય્યરને થોડી રાહ જોવી પડશે. જો કે તે 6 જૂને T20 મુંબઈ 2025 ટુર્નામેન્ટમાં ટ્રાયમ્ફ્સ નાઈટ્સ MNE સામે મુંબઈ ફાલ્કન્સ ટીમ તરફથી મેચ રમવા મેદાનમાં ઉતરશે. (All Photo Credit : PTI / X)