
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ શ્રીલંકા પ્રવાસની તૈયારી કરી રહ્યો છે, પરંતુ આ શ્રેણી પછી તે એક નવી T20 લીગમાં રમતો જોવા મળશે.

ભારતીય કેપ્ટન શુભમન ગિલ 2 ઓગસ્ટના રોજ શેર-એ-પંજાબ T20 લીગના લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેની સાથે ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ હાજર તો. અર્શદીપ પણ આ T20 લીગમાં રમતા જોવા મળશે.

શુભમન ગિલ ઉપરાંત, ઓપનર અભિષેક શર્મા પણ આ લીગમાં ભાગ લે તેવી અપેક્ષા છે. પંજાબ ક્રિકેટ એસોસિએશન પણ T20 લીગમાં પ્રવેશ કરી રહ્યું છે, એવામાં પોતાના રાજ્યને ટેકો આપવા ગિલ, અર્શદીપ અને અભિષેકનું રમવું મહત્વપૂર્ણ રહેશે.

શુભમન ગિલની વાત કરીએ તો, તે T20 ટીમમાંથી બહાર થઈ ગયો છે. સતત 15 T20 મેચોમાં નિષ્ફળ રહ્યા બાદ તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

શુભમન ગિલ 2026 T20 વર્લ્ડ કપ પણ ચૂકી ગયો હતો. હવે શેર-એ-પંજાબ T20 લીગમાં શાનદાર પ્રદર્શન કરી તે T20 ટીમમાં પુનરાગમન કરી શકે છે. (PC-PTI)