
જ્યારે 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે તેમનો પરિવાર ડરી ગયો. કહેવાય છે કે ત્યારપછી પાઓલા મૈનોએ સોનિયા ગાંધીને ફોન કરીને બંને બાળકો સાથે ઈટાલી પરત ફરવાનું કહ્યું હતું.

જો કે તે સમયે સોનિયા ગાંધીએ માતાની વાત સાંભળવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. તેની માતાને કહ્યું કે હવે તે ઈટાલી કરતાં ભારતીય વધુ પસંદ કરે છે, તેથી તે ભારત છોડીને ઈટાલી નહીં આવે.

જો કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક એવા રાજીવ ગાંધી અને તેમની પત્ની સોનિયા ગાંધીની લવસ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

રાજીવ ગાંધી લંડનની કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં ભણતા હતા. આ એ સમયની વાત છે. જ્યારે રાજીવ ગાંધીએ એક સુંદર ઈટાલિયન યુવતીને કેમ્બ્રિજના ગ્રીક રેસ્ટોરન્ટમાં બેસેલી જોઈ હતી અને તેને જોતા જ રાજીવ ગાંધીને દિલ દઈ બેઠા હતા.

ઇટાલીના વિસેન્ઝા નજીકના એક નાનકડા ગામમાં જન્મેલી સોનિયા ગાંધીનો ઉછેર રોમન કેથોલિક પરિવારમાં થયો હતો. સ્થાનિક શાળાઓમાં તેનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડમાં રહેવા ગઈ હતી. 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા.

સોનિયા ઈન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધીની પત્ની છે. તેમને બે બાળકો છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. બંન્ને બાળકો આજે રાજકારણમાં સક્રિય છે.

જો આપણે સોનિયા ગાંધીની રાજકીય સફર પર નજર કરીએ તો આપણને ઘણા ઉતાર-ચઢાવ જોવા મળશે. પૂર્વ પીએમ રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયા ગાંધીએ રાજકારણમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ કોંગ્રેસની બગડતી હાલત અને પાર્ટીના નેતાઓના દબાણને કારણે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
Published On - 7:09 am, Thu, 12 December 24