
આ પછી પૃથ્વીરાજ કપૂરના પુત્રો રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર બીજી પેઢીમાં આવ્યા. રાજ કપૂરને બોલિવૂડનો શોમેન કહેવામાં આવતો હતો. તેમનો અભિનય ચાહકોના દિલને સ્પર્શી ગયો. શમ્મી કપૂરે પણ પોતાના અભિનયથી લોકોને આકર્ષિત કર્યા હતા. શશિ કપૂર પણ અભિનયમાં નિષ્ણાત નીકળ્યા. ત્રણેય ભાઈઓએ બોલિવૂડમાં સફળ રહ્યા હતા.

ત્યારબાદ કપૂર પરિવાર આગળ વધ્યો. રાજ કપૂરે કૃષ્ણા રાજ સાથે લગ્ન કર્યા છે. તેમને પાંચ બાળકો હતા રણધીર કપૂર, ઋષિ કપૂર, રાજીવ કપૂર, રિતુ નંદા અને રીમા જૈન. શમ્મી કપૂરે બે વાર લગ્ન કર્યા. ગીતા બાલી સાથે પ્રથમ લગ્ન, જેનાથી તેમને બે બાળકો આદિત્ય રાજ કપૂર અને કંચન કપૂર હતા. ગીતાના મૃત્યુ પછી, તેમણે નીલા દેવી સાથે બીજી વાર લગ્ન કર્યા, જેમનાથી તેમને કોઈ સંતાન નહોતું. શશિ કપૂરે જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા, જેમને ત્રણ બાળકો હતા કુણાલ કપૂર, કરણ કપૂર અને પુત્રી સંજના.

આ પછી ત્રીજી પેઢીમાં રણધીર કપૂર અને ઋષિ કપૂરે બોલિવૂડ પર રાજ કર્યું. ઋષિ કપૂર પર છોકરીઓ પાગલ હતી. જો કે રણધીર કપૂર અને રાજીવ કપૂરને એટલી સફળતા મળી ન હતી જેટલી ઋષિ કપૂરને મળી હતી. રણધીર કપુરે બબીતા કપુર સાથે લગ્ન કર્યા હતા. તેને 2 પુત્રીઓ છે કરીના કપુર અને કરિશ્મા કપુર, ઋષિ કપુરે નીતુ સિંહ સાથે લગ્ન કર્યા તેમને પણ 2 બાળકો છે રિદ્ધિમા કપુર અને રણબીર કપુર છે. રણબીર કપુરના લગ્ન અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થયા છે. બંન્ને એક પુત્રીના માતા-પિતા પણ છે.
Published On - 8:38 am, Mon, 4 September 23