
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તો આજે આપણે કિયારા અડવાણીની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

અભિનેત્રી કિયારા અડવાણીનો પરિવાર એકદમ ફિલ્મી છે.બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી મુંબઈની રહેવાસી છે. તેમના પિતાનું નામ જગદીપ અડવાણી છે. કિયારાના પિતા જગદીપ અડવાણી બિઝનેસમેન છે. જગદીપ અડવાણી પોતાનો બિઝનેસ મુંબઈમાં જ કરે છે.

તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીનું નામ આલિયા અડવાણી છે. કિયારાએ 2014માં ફગલી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ પહેલા કિયારાએ પોતાનું નામ બદલીને કિયારા રાખ્યું હતું.

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને કિયારા અડવાણીને તેનું નામ બદલવાની સલાહ આપી હતી કારણ કે આલિયા ભટ્ટ પહેલાથી જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી.

કિયારા અડવાણી અડવાણીનો જન્મ 31 જુલાઈ 1991 જગદીપ અડવાણી, એક સિંધી હિંદુ વેપારી અને જિનીવીવ જાફરીને ત્યાં થયો હતો, જેના પિતા મૂળ લખનૌના હતા અને માતા વિદેશી હતી. તેને બે ભાઈ-બહેન છે, એક મોટી બહેન, ઈશિતા, અને તેનો નાનો ભાઈ, મિશાલ, સંગીતકાર છે.

કિયારા અડવાણીનું શિક્ષણ કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલ મુંબઈમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણીએ મુંબઈની જય હિંદ કોલેજમાં અભ્યાસ કર્યો જ્યાં તેણીએ માસ કોમ્યુનિકેશનમાં બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી હતી.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતાતેમના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. તેમના લગ્નના ફોટા આજે પણ સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે, તાજેતરમાં તેણે માતા બનવાની જાહેરાત કરી હતી. કપલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'અમારા બંનેના જીવનની સૌથી મોટી ભેટ, ટૂંક સમયમાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીએ ડોન 3 માટે લગભગ 13 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેની WAR 2 ફી કરતા 50 ટકા વધુ છે.

કિયારા અડવાણી માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની સુંદરતા માટે પણ ચર્ચામાં રહે છે. બંનેની લવસ્ટોરી ફિલ્મ શેરશાહથી શરૂ થઈ હતી. બંનેએ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને ચાહકો આજે પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે.
Published On - 7:18 am, Tue, 4 March 25