
બોલિવુડમાં ગુરુના રુપમાં મહાન ફિલ્મકાર ગુરુ દત્તને માનવામાં આવે છે. પરંતુ આજે આપણે બોલિવુડ સ્ટારના ગુરુ વિશે વાત કરીએ. જેના સંત્સંગ તેમજ તેમની મુલાકાત લેતા અનેક વખત જોવા મળે છે.લારા દત્તા રવિશંકરના આધ્યાત્મિક પ્રવચનોમાં ભાગ લે છે

લારા દત્તા માત્ર રવિશંકરના આધ્યાત્મિક પ્રવચનોમાં હાજરી આપે છે એટલું જ નહીં પરંતુ 2008 માં ફાઉન્ડેશન માટે ટ્રેનર પણ બની હતી. તેમણે ઘણા દેશોમાં યુવા સેવા પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે.

વિરાટ અને અનુષ્કા અવાર-નવાર વૃંદાવનના આશ્રમ જાય છે. હાલમાં ગુરુ પૂર્ણિમા પહેલા બંને સ્ટારે પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી હતી. ધર્મગુરુના આશીર્વાદ લેવા પોતાની દીકરી વામિકા સાથે પણ પહોંચે છે.

બોલીવુડ સ્ટાર્સમાં ગુરુ ખૂબ જ લોકપ્રિય છે. ઘણા સ્ટાર્સ ઘણીવાર તેમના ઘરે તેમના સત્સંગ રાખે છે. રણબીર કપૂરનો આખો પરિવાર તેમની પૂજા કરે છે. વધુમાં, હેમા માલિની, અનન્યા પાંડે અને વિવેક ઓબેરોય જેવા સ્ટાર્સ પણ તેમને અનુસરે છે.તેમને ડુગરી વાળા ગુરુજી અથવા શુક્રાના ગુરુજી તરીકે પણ ઓળખાય છે, તેમનું સાચું નામ નિર્મલ સિંહજી મહારાજ છે

બોલિવુડના સંજુ બાબા અભિનેતા સંજય દત્ત આર્ટ ઓફ લિવિંગ પ્રમુખ આધ્યાત્મિક ગુરુ રવિશંકરને ફોલો કરે છે. અવાર-નવાર શ્રી શ્રી રવિશંકરને મળવા માટે તેમના આશ્રમ પહોંચે છે.

સામંથા રુથ પ્રભુ અને કંગના રનૌત બંને આધ્યાત્મિક ગુરુ સદગુરુ અને તેના સંગઠનને માને છે. બંને સદગુરુના આશીર્વાદ પણ લઈ ચૂકી છે. સામંથાએ તો લગ્ન પણ ઈશા ફાઉન્ડેશન, કોયમ્બતૂર ખાતે કર્યા હતા. (all photo : PTI)