
સંજીદા શેખ એક અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. સંજીદા શેખ ક્યા હોગા નિમ્મો કામાં નમ્રતા ,લવ કા હૈ ઇન્તેઝારમાં કામિની માથુરની ભૂમિકા માટે જાણીતી છે. શેખ ત્યારથી તૈશ (2020), કાલી ખૂહી (2020) અને ફાઇટર (2024) અને વેબ સિરીઝ હીરામંડી (2024)માં જોવા મળી ચૂકી છે.

2 માર્ચ 2012ના રોજ બોયફ્રેન્ડ આમિર અલી સાથે લગ્ન કર્યા હતા. ઓગસ્ટ 2020માં, એવું બહાર આવ્યું કે દંપતીને સરોગસી દ્વારા એક વર્ષની પુત્રી આયરા અલી છે.

8 વર્ષના લગ્નજીવન પછી આ દંપતી 2020માં અલગ થયું અને 2021માં સંજીદા શેખને તેમની પુત્રીની કસ્ટડી મળતાં છૂટાછેડા મંજૂર થયા હતા.

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ "હીરામંડી" માં અનેક અભિનેત્રીઓ હતી, તેમાંથી એક ટીવી અભિનેત્રી પણ હતી જેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા અને તે સિંગલ મધર છે.

સંજીદા શેખે 2003માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.સંજીદા શેખે તેમના પતિ સાથે "નચ બલિયે 3" માં પણ જોવા મળી હતી અને તે સીઝન જીતી હતી. થોડા વર્ષોમાં સંજીદા શેખ એક લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી બની ગઈ.

તે સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ લુક્સ ચાહકો સાથે શેર કરે છે. સંજીદા શેખની ગણતરી ટોચની ટીવી અભિનેત્રીઓમાં થાય છે.

અભિનેત્રી સંજીદા શેખે 19 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની ફિલ્મ "બાગબાન" થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં તેમનો રોલ નાનો હોવા છતાં, તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. 2003માં આવેલી ફિલ્મમાં તેમણે નીલીની ભૂમિકા ભજવી હતી.

બોલિવુડ ઉપરાંત અભિનેત્રીએ તમિલ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજીદાએ 2005 માં આવેલી તમિલ ફિલ્મ "પોન્નીયિન સેલ્વન"માં અભિનય કર્યો હતો.

2006 માં આવેલી કન્નડ ફિલ્મ "શુભમ" માં પણ જોવા મળી હતી. અભિનેત્રીએ "અશ્કે" અને "મૈં તે બાપુ" જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજીદા શેખ છેલ્લે સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ "હીરામંડી" માં જોવા મળી હતી.