
ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળ હેઠળ આવતા ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે બ્રિજ નંબર 203 પર પાણીનું સ્તર વધી જવાના કારણે આ રેલખંડ પર સાવચેતીના ભાગરૂપે ટ્રેન વ્યવહાર અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવ્યો છે. જેને લીધે કેટલીક ટ્રેનો પર અસર પડી છે.

તારીખ 23 જુલાઈ 2026 ના રોજ રદ રહેનારી ટ્રેનો: ટ્રેન નંબર 12933/12934 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ, ટ્રેન નંબર 12931/12932 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ

ટ્રેન નંબર 22961/22962 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ

ડાયવર્ટ કરાયેલી ટ્રેન (બદલાયેલા રૂટ પર ચાલનારી ટ્રેન): 22 જુલાઈ 2026ની ટ્રેન નંબર 22919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ – અમદાવાદ હમસફર એક્સપ્રેસ બદલાયેલા રૂટ એટલે કે દૌંડ – અંકઈ – મનમાડ – જલગાંવ – પલધી – સુરત થઈને ચાલશે.

ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ નોંધ: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસથી ચકાસી લે.
Published On - 9:28 am, Thu, 23 July 26