કાનુની સવાલ: રસ્તા, ગટર, સ્કૂલ, બિલ્ડિંગ જેવા સરકારી કામ થતા હોય ત્યાં બોર્ડ ન મુકેલું હોય તો શું એક્શન લઈ શકાય?

કાનુની સવાલ: નિયમ મુજબ, કોઈપણ સરકારી કામ શરૂ થાય ત્યારે ત્યાં માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે. આથી સામાન્ય નાગરિકોને ખબર પડે છે કે કયું કામ ચાલી રહ્યું છે, કેટલો ખર્ચ થઈ રહ્યો છે અને તે ક્યારે પૂરું થવાનું છે.

| Updated on: Apr 09, 2026 | 1:10 PM
1 / 6
કાનુની સવાલ: ઘણા વિસ્તારોમાં સરકાર દ્વારા રસ્તા, શાળાઓ, નાળા અથવા અન્ય જાહેર કામો કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર આ કામોની સાઇટ પર માહિતી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવતું નથી. આ બોર્ડમાં સામાન્ય રીતે કામનું નામ, ખર્ચ, સમયમર્યાદા, કોન્ટ્રાક્ટર અને વિભાગની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. બોર્ડ ન હોવાને કારણે લોકોમાં શંકા ઊભી થાય છે અને પારદર્શકતાની કમી દેખાય છે.

કાનુની સવાલ: ઘણા વિસ્તારોમાં સરકાર દ્વારા રસ્તા, શાળાઓ, નાળા અથવા અન્ય જાહેર કામો કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર આ કામોની સાઇટ પર માહિતી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવતું નથી. આ બોર્ડમાં સામાન્ય રીતે કામનું નામ, ખર્ચ, સમયમર્યાદા, કોન્ટ્રાક્ટર અને વિભાગની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. બોર્ડ ન હોવાને કારણે લોકોમાં શંકા ઊભી થાય છે અને પારદર્શકતાની કમી દેખાય છે.

2 / 6
નિયમ મુજબ, કોઈપણ સરકારી કામ શરૂ થાય ત્યારે ત્યાં માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે. આથી સામાન્ય નાગરિકોને ખબર પડે છે કે કયું કામ ચાલી રહ્યું છે, કેટલો ખર્ચ થઈ રહ્યો છે અને તે ક્યારે પૂરું થવાનું છે. જો આ બોર્ડ લગાવવામાં ન આવે, તો તે નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

નિયમ મુજબ, કોઈપણ સરકારી કામ શરૂ થાય ત્યારે ત્યાં માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે. આથી સામાન્ય નાગરિકોને ખબર પડે છે કે કયું કામ ચાલી રહ્યું છે, કેટલો ખર્ચ થઈ રહ્યો છે અને તે ક્યારે પૂરું થવાનું છે. જો આ બોર્ડ લગાવવામાં ન આવે, તો તે નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

3 / 6
આવી સ્થિતિમાં સૌપ્રથમ સ્થાનિક સત્તાવાળાઓ જેમ કે નગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ. ઘણીવાર આ પ્રકારની ખામી ધ્યાન દોરતા જ સુધારી દેવામાં આવે છે. જો છતાં પણ કોઈ કાર્યવાહી ન થાય, તો નાગરિકો લેખિતમાં ફરિયાદ નોંધાવી શકે છે.

આવી સ્થિતિમાં સૌપ્રથમ સ્થાનિક સત્તાવાળાઓ જેમ કે નગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ. ઘણીવાર આ પ્રકારની ખામી ધ્યાન દોરતા જ સુધારી દેવામાં આવે છે. જો છતાં પણ કોઈ કાર્યવાહી ન થાય, તો નાગરિકો લેખિતમાં ફરિયાદ નોંધાવી શકે છે.

4 / 6
આ ઉપરાંત, નાગરિકો Right to Information Act (RTI) હેઠળ માહિતી માંગીને પણ જવાબદારી નિશ્ચિત કરી શકે છે. RTI દ્વારા તમે પૂછો શકો છો કે આ પ્રોજેક્ટ માટે કેટલો ખર્ચ ફાળવાયો છે, કામ કોણ કરી રહ્યું છે અને બોર્ડ કેમ લગાવવામાં આવ્યું નથી.

આ ઉપરાંત, નાગરિકો Right to Information Act (RTI) હેઠળ માહિતી માંગીને પણ જવાબદારી નિશ્ચિત કરી શકે છે. RTI દ્વારા તમે પૂછો શકો છો કે આ પ્રોજેક્ટ માટે કેટલો ખર્ચ ફાળવાયો છે, કામ કોણ કરી રહ્યું છે અને બોર્ડ કેમ લગાવવામાં આવ્યું નથી.

5 / 6
ડિજિટલ યુગમાં ઘણા રાજ્યોમાં ઓનલાઈન ફરિયાદ પોર્ટલ અને હેલ્પલાઇન ઉપલબ્ધ છે, જ્યાંથી તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. જો મુદ્દો લાંબા સમય સુધી ઉકેલાતો ન હોય, તો ઉચ્ચ અધિકારીઓ અથવા જિલ્લા કચેરી સુધી મામલો લઈ જઈ શકાય છે.

ડિજિટલ યુગમાં ઘણા રાજ્યોમાં ઓનલાઈન ફરિયાદ પોર્ટલ અને હેલ્પલાઇન ઉપલબ્ધ છે, જ્યાંથી તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. જો મુદ્દો લાંબા સમય સુધી ઉકેલાતો ન હોય, તો ઉચ્ચ અધિકારીઓ અથવા જિલ્લા કચેરી સુધી મામલો લઈ જઈ શકાય છે.

6 / 6
આ પ્રકારના બોર્ડ ફક્ત માહિતી માટે જ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર રોકવા માટે પણ મહત્વપૂર્ણ છે. નાગરિકો સતર્ક રહેશે અને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવશે, તો જ પારદર્શક અને જવાબદાર શાસન શક્ય બને છે.

આ પ્રકારના બોર્ડ ફક્ત માહિતી માટે જ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર રોકવા માટે પણ મહત્વપૂર્ણ છે. નાગરિકો સતર્ક રહેશે અને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવશે, તો જ પારદર્શક અને જવાબદાર શાસન શક્ય બને છે.

Follow Us