
લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને તેના મેટલ્સ એન્ડ મિનરલ્સ બિઝનેસ માટે એકસાથે અનેક મેગા ઓર્ડર મળ્યા છે. કંપનીને ભારતની સૌથી મોટી આયર્ન ઓર ઉત્પાદક જાહેર ક્ષેત્રની કંપની તરફથી છત્તીસગઢમાં 18 MTPA આયર્ન ઓર હેન્ડલિંગ પ્લાન્ટ માટે મહત્વપૂર્ણ EPC ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, ઇન્સ્ટોલેશન તેમજ કમિશનિંગ સહિતની સંપૂર્ણ કામગીરી L&T સંભાળશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ માટે પણ કંપનીને વિવિધ ડિઝાઇન અને બિલ્ડ પેકેજ મળ્યા છે.

આ સિવાય L&Tને ખાનગી ક્ષેત્રની અગ્રણી મેટલ્સ કંપની તરફથી ઝિંક પ્રોસેસિંગ પ્લાન્ટ માટે પણ EPC ઓર્ડર મળ્યો છે, જે કંપનીની જટિલ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ. એન. સુબ્રમણ્યને જણાવ્યું કે આ ઓર્ડર ગ્રાહકોના વિશ્વાસ અને L&Tની એન્જિનિયરિંગ કુશળતાનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે ભારતના મેટલ્સ અને મિનરલ્સ ક્ષેત્રના વિકાસમાં કંપની ભવિષ્યમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપતી રહેશે.

લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ભારતની અગ્રણી એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ આશરે ₹5.25 લાખ કરોડ છે, જ્યારે શેરનો ભાવ ₹3,816ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનો સ્ટોક P/E 32.0 છે, જ્યારે બુક વેલ્યૂ ₹794 નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે L&T લાંબા ગાળાના રોકાણકારો માટે એક મજબૂત અને વિશ્વસનીય બ્લૂચિપ કંપની તરીકે પોતાની ઓળખ જાળવી રાખે છે.

નફાકારકતાની વાત કરીએ તો કંપનીનો ROCE 14.6% અને ROE 15.9% છે, જે તેની મૂડીનો અસરકારક ઉપયોગ દર્શાવે છે. કંપની પર આશરે ₹1.25 લાખ કરોડનું દેવું છે, પરંતુ તેની સામે ₹1.09 લાખ કરોડથી વધુના રિઝર્વ્સ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત માર્કેટ કેપ ટુ સેલ્સ રેશિયો 1.84 છે, જે કંપનીના મજબૂત બિઝનેસ મોડેલ અને સ્થિર આવક તરફ સંકેત આપે છે.

L&Tમાં રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરધારકોની સંખ્યામાં વધારો થઈને તે લગભગ 17.95 લાખ સુધી પહોંચી છે. કંપની નિયમિત રીતે ડિવિડેન્ડ પણ આપે છે અને હાલ તેનો ડિવિડેન્ડ યિલ્ડ 1% છે. મજબૂત ફંડામેન્ટલ્સ, સ્થિર નાણાકીય સ્થિતિ અને વિવિધ ક્ષેત્રોમાં મજબૂત હાજરીને કારણે L&Tનો શેર લાંબા ગાળાના રોકાણકારો માટે ધ્યાનમાં રાખવા જેવો વિકલ્પ માનવામાં આવે છે.

( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)