
ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં હવે અંતિમ તબક્કો રહ્યો છે. રમતના છેલ્લા દિવસે શ્રીલંકાને જીત માટે 288 રન બનાવવાના છે. ભારતીય ટીમ જીતથી માત્ર 6 વિકેટ દુર છે.

આખી મેચમાં અડચણ બનેલી વરસાદ પાંચમાં દિવસે પણ ટીમ ઈન્ડિયાની જીતનું વિલન બની શકે છે. પાંચમાં દિવસની રમત ભારતીય સમય અનુસાર 9:45 શરુ થશે.

એક્યુવેધરના રિપોર્ટ અનુસાર મેચના પહેલા સેશન દરમિયાન ગોલમાં વરસાદ પડવાની વધુ શક્યતા છે. ભારતીય સમયઅનુસાર સવારે 10 કલાકે વરસાદ થવાની 49 ટકા શક્યતા છે.

સવારે 11 કલાકે વરસાદની શક્યતા 52 ટકા થઈ જશે. આટલું જ નહી બપોરના 12 કલાકે વરસાદની શક્યતા 58 થી 60 ટકાને નજીક છે.

જો દિવસની શરુઆતમાં વરસાદનું અડચણ જોવા મળે છે. તો પહેલા સેશનનો મોટો ભાગ વરસાદની ઝપેટમાં આવી શકે છે. જેનાથી ભારતીય બોલરને શરુઆતના ઓવરમાં લય હાંસિલ કરવામાં પરેશાની થઈ શકે છે.

ભારતીય ટીમ અને ચાહકો માટે મોટી રાહતની વાત એ છે કે, લંચ પછી હવામાન ચોખ્ખું રહેશે તેવું અનુમાન છે. બપોરના 1 કલાકથી સાંજે 5 કલાક વચ્ચે વરસાદની શક્યતા ઘટી માત્ર 20 ટકાથી 25 ટકા થઈ જશે.

ત્યારે ટીમ ઈન્ડિયાની પાસે બીજા અને ત્રીજા સેશનમાં બાકી વધેલી 6 વિકેટ લઈ અને ગોલમાં 1-0થી લીડ બનાવવાની તક છે. ( ALL PHOTO CREDIT- PTI)