
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 ટી20 મેચની સીરિઝ રમાશે. 13 સપ્ટેમ્બરના રોજ પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત દેખાડી અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતુ. તેમજ સીરિઝમાં 1-0થી લીડ બનાવી હતી. હવે સીરિઝની બીજી મેચ 15 સપ્ટેમ્બરના રોજ રમાશે.

ભારતીય ટીમ આ બીજી મેચ જીતી સીરિઝ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરશે. તેમજ અફઘાનિસ્તાનની ટીમ આ મેચ જીતી સીરિઝ 1-1ની બરાબરી કરશે. આ વચ્ચે ચાલો જાણીએ બીજી મેચ દરમિયાન હવામાન કેવું રહેશે.

Accuweather મુજબ મંગળવારના રોજ દિલ્લીમાં અંદાજે 41 ટકા વરસાદની શક્યતા છે. સવારથી લઈ બપોર સુધી વરસાદની શક્યતા 30 થી 40 ટકાની આસપાસ છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે ગુડ ન્યુઝ એ છે કે, જેમ જેમ મેચ નજીક આવી રહી છે. તેમ હવામાન ચોખ્ખું થશે.

રાતના સમયે વરસાદની શક્યતા 7 ટકા છે. આનો મતલબ એ થયો કે, વરસાદના કારણે મેચ બંધ થવાની આશા ઓછી છે.

આ સિવાય અરુણ જેટલી સ્ટેડિયમમાં ડ્રેનેઝ સિસ્ટમ ખુબ સુંદર છે. જેનાથી 20-20 ઓવરની મેચ કોઈ પણ અડચણ વગર પુરી થવાની આશા છે.

અફઘાનિસ્તાન વિરુદ્ધ રમતા ભારતીય ટીમે પહેલી મેચમાં શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે આક્રમક રમત દેખાડી અને 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી ટી20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે આ સીરિઝમાંથી બહાર થયો છે. હવે તેના સ્થાને કોને તક મળે છે. તે જોવાનું રહેશે. (All photo : PTI)