Breaking News: જે બાંગ્લાદેશી ક્રિકેટરને IPL માંથી પડતો મુકાયો, તેના પર પાકિસ્તાને લૂંટાવ્યા આટલા કરોડ રૂપિયા

બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી સિલેક્શન બાદ KKR દ્વારા પડતો મુકવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાન સુપર લીગ દ્વારા તેમને ખરીદવામાં આવ્યો છે.

| Updated on: Feb 06, 2026 | 5:56 PM
1 / 6
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને લઈને  છેલ્લા થોડા સમયથી એશિયન ક્રિકેટ ટીમોમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. BCCI દ્વારા મુસ્તફિઝુરને IPLમાં રમવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, જેના પગલે બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપમાં રમવાનો ઇનકાર કર્યો હતો.  જે મુસ્તફિઝુરને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને હવે  પાકિસ્તાન સુપર લીગ (PSL) માંથી  મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને લઈને છેલ્લા થોડા સમયથી એશિયન ક્રિકેટ ટીમોમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. BCCI દ્વારા મુસ્તફિઝુરને IPLમાં રમવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, જેના પગલે બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપમાં રમવાનો ઇનકાર કર્યો હતો. જે મુસ્તફિઝુરને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને હવે પાકિસ્તાન સુપર લીગ (PSL) માંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

2 / 6
લાહોર કલંદર્સે PSLની આગામી સીઝન માટે બાંગ્લાદેશના આ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને સાઇન કર્યો છે. કલંદર્સે તેમને 6.44 કરોડ પાકિસ્તાની રૂપિયાના મોટા કરાર સાથે 'ડાયરેક્ટ સાઇનિંગ' તરીકે સામેલ કર્યા છે.

લાહોર કલંદર્સે PSLની આગામી સીઝન માટે બાંગ્લાદેશના આ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને સાઇન કર્યો છે. કલંદર્સે તેમને 6.44 કરોડ પાકિસ્તાની રૂપિયાના મોટા કરાર સાથે 'ડાયરેક્ટ સાઇનિંગ' તરીકે સામેલ કર્યા છે.

3 / 6
 મુસ્તફિઝુરનો ફ્રેન્ચાઇઝી સાથે લાંબા સમયથી સંબંધ છે, જે અગાઉ બે સીઝનમાં ટીમ માટે રમી ચૂક્યો છે. 2016માં ખભાની ઈજાને કારણે તે એક પણ મેચ રમી શક્યો ન હતો, 2018ની સીઝનમાં તે પાંચ મેચમાં દેખાયો, જેમાં તેણે 6.43 ની ઉત્તમ ઇકોનોમી રેટથી ચાર વિકેટ લીધી હતી.

મુસ્તફિઝુરનો ફ્રેન્ચાઇઝી સાથે લાંબા સમયથી સંબંધ છે, જે અગાઉ બે સીઝનમાં ટીમ માટે રમી ચૂક્યો છે. 2016માં ખભાની ઈજાને કારણે તે એક પણ મેચ રમી શક્યો ન હતો, 2018ની સીઝનમાં તે પાંચ મેચમાં દેખાયો, જેમાં તેણે 6.43 ની ઉત્તમ ઇકોનોમી રેટથી ચાર વિકેટ લીધી હતી.

4 / 6
તાજેતરમાં ક્રિકેટ જગતમાં મુસ્તફિઝુર રહેમાનને લઈને એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા તેને ₹9.2 કરોડ (૯૨ મિલિયન રૂપિયા) માં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ BCCI ની કાર્યવાહીને કારણે તેને મુક્ત કરવાની ફરજ પડી હતી.

તાજેતરમાં ક્રિકેટ જગતમાં મુસ્તફિઝુર રહેમાનને લઈને એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા તેને ₹9.2 કરોડ (૯૨ મિલિયન રૂપિયા) માં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ BCCI ની કાર્યવાહીને કારણે તેને મુક્ત કરવાની ફરજ પડી હતી.

5 / 6
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી અને આખરે સુરક્ષા ચિંતાઓને ટાંકીને ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. આ કઠોર નિર્ણય બાદ, ICC એ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી દૂર કર્યું અને તેમના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી અને આખરે સુરક્ષા ચિંતાઓને ટાંકીને ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. આ કઠોર નિર્ણય બાદ, ICC એ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી દૂર કર્યું અને તેમના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો.

6 / 6
વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખ્યા બાદ પાકિસ્તાને પણ કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન હવે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની હાઇ-પ્રોફાઇલ મેચનો બહિષ્કાર કરવાની યોજના બનાવી રહ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમના મંત્રીમંડળને આ અંગે માહિતી આપી છે, જોકે રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ હજુ સુધી ICCને બહિષ્કારની સત્તાવાર રીતે કોઈ જાણ કરી નથી.

વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખ્યા બાદ પાકિસ્તાને પણ કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન હવે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની હાઇ-પ્રોફાઇલ મેચનો બહિષ્કાર કરવાની યોજના બનાવી રહ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમના મંત્રીમંડળને આ અંગે માહિતી આપી છે, જોકે રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ હજુ સુધી ICCને બહિષ્કારની સત્તાવાર રીતે કોઈ જાણ કરી નથી.

Published On - 5:51 pm, Fri, 6 February 26