Breaking News : અભિષેક શર્માને તેનો પૂરો પગાર નહીં મળે, જાણો કારણ

કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ અભિષેક શર્માએ 48 રનની વિસ્ફોટક ઈનિગ્સ રમી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે મોટો સ્કોર ઉભો કર્યો હતો અને જીત અપાવી હતી.મેચની વાત કરીએ તો, અભિષેક શર્માએ ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી, તેણે માત્ર 21 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા.

| Updated on: Apr 03, 2026 | 9:53 AM
1 / 7
પહેલા ટી20 વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન હવે આઈપીએલ 2026ની પહેલી મેચમાં ફેલ રહેલા અભિષેક શર્મા હવે પોતાના ફોર્મમાં પાછો ફર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ એક શાનદાર ઈનિગ્સ રમી ટીમને જીત અપાવી હતી.

પહેલા ટી20 વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન હવે આઈપીએલ 2026ની પહેલી મેચમાં ફેલ રહેલા અભિષેક શર્મા હવે પોતાના ફોર્મમાં પાછો ફર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ એક શાનદાર ઈનિગ્સ રમી ટીમને જીત અપાવી હતી.

2 / 7
અભિષેક શર્માએ સનરાઈઝર્સ હૈદારાબાદને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ આટલું યોગદાન છતાં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનરને નુકસાન થયું છે. કારણ કે, મેચ બાદ બીસીસીઆઈએ તેનો પગાર કાપી લીધો છે. અભિષેક શર્માને કોડ ઓફ કંડક્ટના ઉલ્લંધનમાં દંડ ફટકારવામાં આવ્યો છે. જેના કારણે તેના ખાતામાં આખો પગાર આવશે નહી.

અભિષેક શર્માએ સનરાઈઝર્સ હૈદારાબાદને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ આટલું યોગદાન છતાં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનરને નુકસાન થયું છે. કારણ કે, મેચ બાદ બીસીસીઆઈએ તેનો પગાર કાપી લીધો છે. અભિષેક શર્માને કોડ ઓફ કંડક્ટના ઉલ્લંધનમાં દંડ ફટકારવામાં આવ્યો છે. જેના કારણે તેના ખાતામાં આખો પગાર આવશે નહી.

3 / 7
ઈડન ગાર્ડન્સમાં ગુરુવાર 2 એપ્રિલના રોજ આઈપીએલ 2026ની છઠ્ઠી મેચમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. આટલું આક્રમક રુપ પણ દેખાડ્યું હતુ. આ તેના પર ભારે પડ્યું છે. મેચ દરમિયાન એક અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે સ્ટંપ માઈકમાં રેકોર્ડ થયો છે.

ઈડન ગાર્ડન્સમાં ગુરુવાર 2 એપ્રિલના રોજ આઈપીએલ 2026ની છઠ્ઠી મેચમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. આટલું આક્રમક રુપ પણ દેખાડ્યું હતુ. આ તેના પર ભારે પડ્યું છે. મેચ દરમિયાન એક અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે સ્ટંપ માઈકમાં રેકોર્ડ થયો છે.

4 / 7
ઈન્ટરનેશનલ ક્રિકેટથી લઈ આઈપીએલમાં આ પ્રકારના વર્તનની સજા ફટકારવામાં આવે છે. આવું અભિષેક શર્મા સાથે પણ થયું બીસીસીઆઈએ આઈપીએલના કોડ ઓફ કંડ્કટના આર્ટિકલ 2.3હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેના પગારમાંથી 25 ટકા કાપવામાં આવ્યો હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટથી લઈ આઈપીએલમાં આ પ્રકારના વર્તનની સજા ફટકારવામાં આવે છે. આવું અભિષેક શર્મા સાથે પણ થયું બીસીસીઆઈએ આઈપીએલના કોડ ઓફ કંડ્કટના આર્ટિકલ 2.3હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેના પગારમાંથી 25 ટકા કાપવામાં આવ્યો હતો.

5 / 7
હવે સવાલએ છે કે, અભિષેક શર્માને આઈપીએલમાં એક મેચ માટે કેટલો પગાર મળે છે. આ સેલેરીમાંથી કેટલા પૈસા કપાશે. તેમજ તેના ખાતામાં કેટલો પગાર આવશે. બીસીસીઆઈના નિયમ મુજબ આઈપીએલની દરેક મેચમાં પ્લેઈંગ 11માં સામેલ દરેક ખેલાડીને 7.5 લાખ રુપિયા મળે છે.

હવે સવાલએ છે કે, અભિષેક શર્માને આઈપીએલમાં એક મેચ માટે કેટલો પગાર મળે છે. આ સેલેરીમાંથી કેટલા પૈસા કપાશે. તેમજ તેના ખાતામાં કેટલો પગાર આવશે. બીસીસીઆઈના નિયમ મુજબ આઈપીએલની દરેક મેચમાં પ્લેઈંગ 11માં સામેલ દરેક ખેલાડીને 7.5 લાખ રુપિયા મળે છે.

6 / 7
આ લીગની તમામ ટીમ પર એક સમાન લાગુ થાય છે. તેમજ ખેલાડીઓનો ઓક્શનમાં પગારથી અલગ હોય છે. એટલેકે, અભિષેક શર્માને કેકેઆર વિરુદ્ધ મેચ માટે 7.5 લાખ રુપિયા મળ્યા હતા.

આ લીગની તમામ ટીમ પર એક સમાન લાગુ થાય છે. તેમજ ખેલાડીઓનો ઓક્શનમાં પગારથી અલગ હોય છે. એટલેકે, અભિષેક શર્માને કેકેઆર વિરુદ્ધ મેચ માટે 7.5 લાખ રુપિયા મળ્યા હતા.

7 / 7
પરંતુ બીસીસીઆઈએ આ મેચફીના 25 ટકા કાપ્યા છે. જેના કારણે અભિષેકને આ મેચનો પગાર 1,87,500  કાપી તેના ખાતામાં માત્ર  5,62,500 આવશે. અભિષેક શર્માના પગારમાંથી પૈસા કપાતા નથી પરંતુ લેવલ-1ના ગુનામાં ખેલાડીને એક ડિમેરિટ પોઈન્ટ પણ મળે છે. ચાર ડિમેરિટ પોઈન્ટ ધરાવતા ખેલાડી પર ઓછામાં ઓછા એક મેચનો પ્રતિબંધ પણ લાગે છે. (ALL PHOTO:pti)

પરંતુ બીસીસીઆઈએ આ મેચફીના 25 ટકા કાપ્યા છે. જેના કારણે અભિષેકને આ મેચનો પગાર 1,87,500 કાપી તેના ખાતામાં માત્ર 5,62,500 આવશે. અભિષેક શર્માના પગારમાંથી પૈસા કપાતા નથી પરંતુ લેવલ-1ના ગુનામાં ખેલાડીને એક ડિમેરિટ પોઈન્ટ પણ મળે છે. ચાર ડિમેરિટ પોઈન્ટ ધરાવતા ખેલાડી પર ઓછામાં ઓછા એક મેચનો પ્રતિબંધ પણ લાગે છે. (ALL PHOTO:pti)

Follow Us