
કમરના નીચેના ભાગમાં ગરદનમાં અને ખભામાં દુખાવાથી પીડાતા લોકો માટે સ્પાઇનલ ટ્વિસ્ટ અથવા સુપ્ત મત્સ્યેન્દ્રાસન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આ યોગાસન કરવાથી પેટ પણ ટોન થાય છે. સ્પાઇનલ ટ્વિસ્ટ આસન ડિલિવરી પછી સ્ત્રીઓમાં સ્નાયુઓના દુખાવાને ઘટાડવામાં પણ ફાયદાકારક છે. આ આસનો કરવાથી ઊંઘ પણ સારી આવે છે.

બિલાડી-ગાય યોગાસન (માર્જરી આસન) કરવાથી કરોડરજ્જુ લવચીક બને છે. જેનાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત આ યોગાસન ફેફસાંની ક્ષમતા વધારવા અને નર્વસ સિસ્ટમને આરામ આપવામાં પણ અસરકારક છે. કમર, પીઠ, ખભા અને ગરદનમાં દુખાવો ઘટાડવા ઉપરાંત, માર્જારી પોઝ માસિક સ્રાવ દરમિયાન થતી ખેંચાણ ઘટાડવામાં પણ અસરકારક છે.
Published On - 7:15 am, Sun, 12 January 25