
જે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રસ્તા પરથી અવરજવર કરતા હોય તે લોકોએ તપોવન સર્કલથી ONGC ચારરસ્તાથી પાવર હાઉસ બાજુ જઈ શકે છે. જ્યારે કૃપા ટીથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફ અવર - જવર કરી શકાશે. જોકે એસપી રિંગ રોડ પર નાના ચિલોડાથી એપોલો સર્કલ સુધીના રોડ પર ભારે વાહનનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

BAPS સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવ દરમિયાન ક્રાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ તે વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ત્યાં અવર જવર માટે છૂટ આપવામાં આવી છે.