
એક સમયે એક રૂમના ફ્લેટમાં જીવન પસાર કરનાર અશ્વિન દેસાઈ આજે સુરતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે જાણીતા છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1,00,46,22,60,000 કરોડ છે. તેમણે 2013માં એથર ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી, જે આજકાલ વિશિષ્ટ રસાયણો (specialty chemicals)ના ક્ષેત્રમાં અગ્રણી કંપની તરીકે આગળ વધી રહી છે. કંપનીએ કૃષિ રાસાયણ, દવાઓ તથા તેલ અને ગેસ ઉદ્યોગો માટે ખાસ રસાયણોનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

જૂન 2022માં અશ્વિન દેસાઈએ એથર ઈન્ડસ્ટ્રીઝને જાહેર કર્યું હતું (IPO લાવ્યું) અને તેમાં $103 મિલિયન એકત્ર થયા હતા. કંપનીના શેરોએ લિસ્ટિંગ વખતે 10% પ્રીમિયમ સાથે શરૂઆત કરી, જેના પરિણામે દેસાઈ અબજપતિ તરીકે ઉભરી આવ્યા. હાલમાં તેમની પત્ની પૂર્ણિમા દેસાઈ કંપનીના બોર્ડમાં છે અને પુત્રો રોહન અને અમન ક્રમશઃ વ્યવસાય અને તકનીકી દિશા સંભાળી રહ્યા છે.

અશ્વિન દેસાઈએ 1976માં તેમના ભાઈસાબના સહયોગથી સુરતમાં ખાસ રસાયણોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે સમયે તેઓ તેમની માતા સાથે સુરત આવ્યા હતા અને એક બેડરૂમના ઘરેથી જીવનની શરૂઆત કરી. સુરતના એક ગ્રામીણ વિસ્તારમાં એક નાનું ખેતર ભાડે લઈને તેમણે સલ્ફ્યુરાઇલ ક્લોરાઈડ નામના જોખમભર્યા રસાયણનું ઉત્પાદન શરૂ કર્યું, જે dye અને pharmaceutical ઉદ્યોગોમાં મહત્વનું માનવામાં આવે છે.

સુરતમાં અશ્વિન દેસાઈ પછી સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ છે ફારૂક જી પટેલ (KP Group) – જેઓની કુલ સંપત્તિ રૂ. 9,700 કરોડ છે. તેઓ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કાર્યરત છે. ત્રીજા ક્રમે નીરજ ચોકસી (NJ India Investment) છે, જેમણે રૂ. 9,600 કરોડની સંપત્તિ મેળવેલી છે. ચોથી જગ્યાએ બબુભાઈ લાખાણી (Kiren Gems) છે, જેમની સંપત્તિ રૂ. 7,400 કરોડ છે.

એથર ઈન્ડસ્ટ્રીઝ આજે બે પ્લાન્ટ ગુજરાતમાં સંચાલિત કરે છે અને કંપનીએ સુરતમાં નવું પ્લાન્ટ શરૂ કરવા માટે નવી સાઇટ પણ ખરીદી છે. અશ્વિન દેસાઈ માત્ર ઉદ્યોગપતિ જ નથી, પરંતુ તેઓ તરવૈયા, કુદરતપ્રેમી અને કાવ્યપ્રેમી પણ છે. તેમની આ યાત્રા યુવાનોને શૂન્યથી શિખર સુધી પહોંચવા માટે પ્રેરણા આપે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)
Published On - 4:32 pm, Mon, 4 August 25