
એલોવેરાનો રસ શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખે છે, તે આંતરડાની ગરમી, ગેસ અને પેટમાં બળતરા સહિત સમગ્ર પાચનતંત્રને ઠંડુ કરવામાં મદદરૂપ છે.

ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોથી સમૃદ્ધ, નાળિયેર પાણીમાં પોટેશિયમ જેવા આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. જ્યારે પણ પેટમાં બળતરા થતી હોય ત્યારે તેનું રોજ સેવન કરવું જોઈએ.

ગેસને કારણે હાર્ટબર્ન અને ઉબકા આવવા સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં એલચીને ઉકાળીને તેનું પાણી પીવું જોઈએ. જેના કારણે શરીરમાંથી અશુદ્ધ તત્વો બહાર નીકળી જાય છે અને શ્વાસ પણ તરોતાજા રહે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો