અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ(ISOT)’ની 34મી એન્યુઅલ કોન્ફરન્સ યોજાઈ, જુઓ Photos

|

Oct 18, 2024 | 10:52 PM

અમદાવાદ ખાતે 'ઇન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ(ISOT)'ની 34મી એન્યુલ કોન્ફરન્સ યોજાઈ હતી. જ્યાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

1 / 5
અમદાવાદ ખાતે રીજનલ પેથોલોજી એકસપ્રેસ નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. તેમજ અંગ દાતા અને અંગે મેળવનારની યોગ્ય મેચ મેળવી આપતું ISOT સ્વેપ સોફ્ટવેર પણ આ પ્રસંગે ખુલ્લું મૂકવામાં આવ્યું અને અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અંગે નોંધપાત્ર કામગીરી કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈએ પોતાના સંબોધનમાં અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કના રોલ વિશે વાત કરી હતી. અને અંગદાન સાથે સંકળાયેલી વિવિધ કાયદાકીય બાબતોનો વિગતે ઉલ્લેખ કર્યો.

અમદાવાદ ખાતે રીજનલ પેથોલોજી એકસપ્રેસ નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. તેમજ અંગ દાતા અને અંગે મેળવનારની યોગ્ય મેચ મેળવી આપતું ISOT સ્વેપ સોફ્ટવેર પણ આ પ્રસંગે ખુલ્લું મૂકવામાં આવ્યું અને અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અંગે નોંધપાત્ર કામગીરી કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈએ પોતાના સંબોધનમાં અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કના રોલ વિશે વાત કરી હતી. અને અંગદાન સાથે સંકળાયેલી વિવિધ કાયદાકીય બાબતોનો વિગતે ઉલ્લેખ કર્યો.

2 / 5
ખાસ કરીને અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા કાયદાકીય પાસાઓ અને ઐતિહાસિક ઘટનાઓ, નૈતિક બાબતો, ગુનાઈત પ્રવૃત્તિઓ અને તેને રોકવાના ઉપાયો સહિત કેટલાક ગંભીર સામાજિક મુદ્દાઓ પરત્વે જાગૃતિની જરૂરિયાત બાબતે છણાવટપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે અંગદાન બાબતે પ્રવર્તતી જાતિગત અસમાનતા, દેશમાં વિદેશી નાગરિકોને અંગદાન, અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની હાલની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિતોનું માર્ગદર્શન કર્યું હતું.

ખાસ કરીને અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા કાયદાકીય પાસાઓ અને ઐતિહાસિક ઘટનાઓ, નૈતિક બાબતો, ગુનાઈત પ્રવૃત્તિઓ અને તેને રોકવાના ઉપાયો સહિત કેટલાક ગંભીર સામાજિક મુદ્દાઓ પરત્વે જાગૃતિની જરૂરિયાત બાબતે છણાવટપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે અંગદાન બાબતે પ્રવર્તતી જાતિગત અસમાનતા, દેશમાં વિદેશી નાગરિકોને અંગદાન, અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની હાલની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિતોનું માર્ગદર્શન કર્યું હતું.

3 / 5
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા, તેના કારણો, અંગદાનમાં સ્ત્રીઓની ભૂમિકા, સમાજમાં અંગદાનમાં જાતિગત સમાનતા માટે જાગૃતિની જરૂરિયાત સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરતા અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા બાબતે તેમણે વિવિધ સંદર્ભ ટાંકીને અંગદાનમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ વધુ ડોનર અને ઓછી રીસીપીઅન્ટ છે તે સ્થિતિને સુધારવા માટે જરૂરી સિસ્ટમ, અન્ય ઉપક્રમો તથા જાગૃતિ કાર્યક્રમોની જરૂરિયાત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા, તેના કારણો, અંગદાનમાં સ્ત્રીઓની ભૂમિકા, સમાજમાં અંગદાનમાં જાતિગત સમાનતા માટે જાગૃતિની જરૂરિયાત સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરતા અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા બાબતે તેમણે વિવિધ સંદર્ભ ટાંકીને અંગદાનમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ વધુ ડોનર અને ઓછી રીસીપીઅન્ટ છે તે સ્થિતિને સુધારવા માટે જરૂરી સિસ્ટમ, અન્ય ઉપક્રમો તથા જાગૃતિ કાર્યક્રમોની જરૂરિયાત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

4 / 5
ISOT કોન્ફરન્સ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગદાન ક્ષેત્રે કામ કરતા લોકોને બિરદાવતા કહ્યું હતું કે, આપણી જાત ત્યજી દઈ બીજા માટે ઉપયોગી થવાની માનસિકતા સરાહનીય છે. આપણી સંસ્કૃતિ અને ધાર્મિકતામાં પણ, અંગદાન ક્ષેત્રે કામ કરતા ડોકટરોને બિરદાવતા કહ્યું હતું કે, જ્યારે કોઈનું સ્વજન અવસાન પામે અને તેવા કપરા સમયમાં અંગદાન વિશે તેમના પરિવારને તૈયાર કરવા એ ઘણું અઘરું કામ છે અને તે કામ કરતા ડોકટરોની સેવાને હું વંદન કરું છું.

ISOT કોન્ફરન્સ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગદાન ક્ષેત્રે કામ કરતા લોકોને બિરદાવતા કહ્યું હતું કે, આપણી જાત ત્યજી દઈ બીજા માટે ઉપયોગી થવાની માનસિકતા સરાહનીય છે. આપણી સંસ્કૃતિ અને ધાર્મિકતામાં પણ, અંગદાન ક્ષેત્રે કામ કરતા ડોકટરોને બિરદાવતા કહ્યું હતું કે, જ્યારે કોઈનું સ્વજન અવસાન પામે અને તેવા કપરા સમયમાં અંગદાન વિશે તેમના પરિવારને તૈયાર કરવા એ ઘણું અઘરું કામ છે અને તે કામ કરતા ડોકટરોની સેવાને હું વંદન કરું છું.

5 / 5
ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે થઈ રહેલી કામગીરી વખાણતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ વર્ષ 2005માં કેડેવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી અંગદાન ક્ષેત્રે તમામ પ્રકારનો સહયોગ આપવા ખાતરી આપી હતી.

ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે થઈ રહેલી કામગીરી વખાણતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં કેડેવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી અંગદાન ક્ષેત્રે તમામ પ્રકારનો સહયોગ આપવા ખાતરી આપી હતી.

Published On - 10:42 pm, Fri, 18 October 24

Next Photo Gallery