
સરખેજ રોઝા: આ ઐતિહાસિક સ્મારક તેની સુંદર મસ્જિદો અને સમાધિઓ માટે જાણીતું છે પણ રાત્રે કે સાંજે જે પણ લોકો અહીં આવે છે તે લોકોને અચાનક ઠંડી લાગવા લાગે છે, ચહેરા પર જાણે કોઈ હવા ફેંકતું હોય તેવો અનુભવ થાય છે. આ સિવાય તેમની આસપાસ કોઈ અજાણ વ્યક્તિ હાજર હોય તેવું મહેસૂસ થાય છે.

સિગ્નેચર ફાર્મ: શહેરની બહાર આવેલું આ ફાર્મ હાઉસ હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. રાત્રે અચાનક લાઇટ બંધ થઇ જવી, અજાણ્યાં પડછાયાઓ દેખાવા અને ચારેય બાજુથી શાંત રહેતું આ માહોલ લોકોમાં ડર ઊભો કરે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે, અહીં વિચિત્ર અવાજો સંભળાય છે. આ ફાર્મહાઉસ પ્રવાસીઓનો જીવ અધ્ધર કરી દે છે. અહીં જાતે જ દરવાજો ખૂલી જવો, કોઈની હાજરી વિના કોરિડોરમાંથી દરવાજો ખખડે તેનો અવાજ અને રૂમમાં તો કોઇની પડછાઈ દેખાય છે.

ચાંદખેડા રેલ્વે સ્ટેશન: આ રેલવે સ્ટેશનની જ્યારે પણ વાત આવે ત્યારે લોકોના પરસેવા છૂટી જાય છે. કહેવાય છે કે, અહીં એક મહિલાની આત્મા વસવાટ કરે છે. ઘણા લોકો તો એવું પણ કહે છે કે, રાત્રે લગભગ બે વાગ્યે ટ્રેન ટ્રેકની નજીક સફેદ કપડાંમાં એક સ્ત્રી દેખાય છે. આ સ્ત્રીને જોઇને લોકો ડરી જાય છે અને અચરજ પામે છે. આ સ્ત્રી થોડા ક્ષણો માટે દેખાય છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે.