
મોટી સાળવી વાડ શેરીમાં ભક્તોને પ્રસાદીમાં બુંદીના લાડુ પુરી, મિક્સ શાક, ચણા નું શાક આપવામાં આવે છે. જ્યારે કડિયા ની પોળમાં કોડમાં પ્રસાદી સ્વરૂપે ખીચડી અને રસાવાળું શાક આપવામાં આવે છે. તો દેસાઈની પોળમાં ભક્તોને વહેલી સવારથી જ ગરમ ગરમ ચા બનાવીને આપવામાં આવે છે.

મોસાળમાં આશરે દોઢ લાખથી પણ વધારે ભક્તો માટે પ્રસાદી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ભગવાનના આશીર્વાદથી આજ સુધી ક્યારેય પણ એવું બન્યું નથી કે કોઈપણ ભક્ત પ્રસાદ લીધા વગર ખાલી હાથે પાછો ફર્યો હોય. ભક્તો માટે પ્રસાદીનો આ સેવા યજ્ઞ દરેક રથયાત્રામાં પ્રજવલિત રહે છે.
Published On - 8:54 pm, Wed, 25 June 25