અવનવા વાઘા, સોના-ચાંદીના આભૂષણો.. મોસાળ સરસપુરમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન, જુઓ Photos

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાંના શુભ પ્રસંગો શરૂ થયા છે. સરસપુર મોસાળ મંદિરે વાસણા પરિવારે ભાવભેર મામેરું અર્પણ કર્યું. ભક્તોની ભારે ભીડ જોવા મળી. જગન્નાથજી માટે ખાસ વાઘા અને સોના-ચાંદીના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે.

| Updated on: Jun 22, 2025 | 4:30 PM
1 / 6
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વેના પવિત્ર પ્રસંગોનો અમદાવાદમાં આરંભ થઈ ચૂક્યો છે.

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વેના પવિત્ર પ્રસંગોનો અમદાવાદમાં આરંભ થઈ ચૂક્યો છે.

2 / 6
સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું છે.

સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું છે.

3 / 6
આ અલૌકિક મામેરાના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, અને ભજન તથા 'જય રણછોડ'ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ અલૌકિક મામેરાના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, અને ભજન તથા 'જય રણછોડ'ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

4 / 6
ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.

5 / 6
આ ઉપરાંત, સોના-ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, સોના-ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે.

6 / 6
આવતીકાલે સોમવારે મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે. ત્યાંથી સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે..

આવતીકાલે સોમવારે મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે. ત્યાંથી સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે..