અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ થકી કરાશે

|

Aug 09, 2024 | 1:23 PM

અમદાવાદ જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાશે. 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી અન્વયે જિલ્લા કલેકટર  પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. 13 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. મહત્વનું છે કે 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન અને 'તિરંગા યાત્રા' યોજાશે.

1 / 5
રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' કાર્યક્રમની ઉજવણી કરાશે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ 'હર ઘર તિરંગા' અભિયાનની ભવ્ય ઉજવણી થાય, તે સંદર્ભે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' કાર્યક્રમની ઉજવણી કરાશે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ 'હર ઘર તિરંગા' અભિયાનની ભવ્ય ઉજવણી થાય, તે સંદર્ભે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

2 / 5
આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં આગામી તા. 8થી 13 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આ તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાએ મેગા પરેડ યોજાશે, જેમાં શાળાનાં બાળકો, લોકનૃત્યના કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક સંસ્થાઓ આ પરેડમાં જોડાશે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં આગામી તા. 8થી 13 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આ તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાએ મેગા પરેડ યોજાશે, જેમાં શાળાનાં બાળકો, લોકનૃત્યના કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક સંસ્થાઓ આ પરેડમાં જોડાશે.

3 / 5
વધુમાં જિલ્લાની તમામ શાળાઓ, ઔધોગિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, આઇકોનિક સ્થળો, ટુરિસ્ટ સ્થળો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવશે.

વધુમાં જિલ્લાની તમામ શાળાઓ, ઔધોગિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, આઇકોનિક સ્થળો, ટુરિસ્ટ સ્થળો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવશે.

4 / 5
આ ઉજવણી અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે.

આ ઉજવણી અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે.

5 / 5
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ તથા જિલ્લા અને તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ તથા જિલ્લા અને તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 5:25 pm, Wed, 7 August 24

Next Photo Gallery