ક્યાંક ફાયર બ્રિગેડ, ક્યાંક દેશસેવા કરતા સૈનિક તો ક્યાંક પુષ્પાના રૂપમાં છવાયો વિઘ્નહર્તાનો જાદુ, કરો વિવિધ રંગમાં રંગાયેલા દાદાના દર્શન- Photos

દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં પણ ગણેશ ઉત્સવનું અનોખું મહત્વ રહેલું છે. શહેરમાં અનેક જગ્યાએ ગણપતિજી ની સ્થાપના કરીને સાર્વજનિક ગણેશ ઉત્સવ પુરા ભક્તિ ભાવથી કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Sep 01, 2025 | 1:10 PM
1 / 7
દર વર્ષે ભક્તો અને વિવિધ યુવક મંડળો દ્વારા વિવિધ અને અવનવી થીમ ઉપર સાર્વજનિક ગણિત ઉત્સવ ઉજવવામાં આવે છે. શહેરના દરિયાપુર વિસ્તાર પાસે આવેલ ડબગરવાડમાં છેલ્લા 18 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીં 9 ફૂટની ગણપતિજીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ના દર્શન કરવા માટે હજારો લોકો આવે છે. અહીં પ્રસાદની સાથે સુંદરકાંડની કથા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

દર વર્ષે ભક્તો અને વિવિધ યુવક મંડળો દ્વારા વિવિધ અને અવનવી થીમ ઉપર સાર્વજનિક ગણિત ઉત્સવ ઉજવવામાં આવે છે. શહેરના દરિયાપુર વિસ્તાર પાસે આવેલ ડબગરવાડમાં છેલ્લા 18 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીં 9 ફૂટની ગણપતિજીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ના દર્શન કરવા માટે હજારો લોકો આવે છે. અહીં પ્રસાદની સાથે સુંદરકાંડની કથા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

2 / 7
કોટ વિસ્તારમાં આવેલ રાવલ વાસ માં પણ છેલ્લા 41 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં કાગળ અને પૂઠા જેવી સામગ્રીનો ઉપયોગ કરીને Eco ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લોકોને દર્શનાર્થે રાખવામાં આવી છે.

કોટ વિસ્તારમાં આવેલ રાવલ વાસ માં પણ છેલ્લા 41 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં કાગળ અને પૂઠા જેવી સામગ્રીનો ઉપયોગ કરીને Eco ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લોકોને દર્શનાર્થે રાખવામાં આવી છે.

3 / 7
અહીં સૌથી મોટી વિશેષતા એ છે કે જંગલની થીમ ઉપર  ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અહીં એક જંગલ બનાવવામાં આવ્યું છે. જેમાં ગણપતિજીની સાથે વાંદરા, હાથી, વાઘ, અજગર જેવા પ્રાણીઓના કેરિકેચર પણ રાખવામાં આવ્યા છે.

અહીં સૌથી મોટી વિશેષતા એ છે કે જંગલની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અહીં એક જંગલ બનાવવામાં આવ્યું છે. જેમાં ગણપતિજીની સાથે વાંદરા, હાથી, વાઘ, અજગર જેવા પ્રાણીઓના કેરિકેચર પણ રાખવામાં આવ્યા છે.

4 / 7
શહેરના નરોડા વિસ્તારમાં આવેલ છારા નગરમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની થીમ ઉપર ગણેશજીની પધરામણી કરવામાં આવી છે. અહીં  પુષ્પા પિક્ચરના કલાકારો, કરન્સી, ચંદનના લાકડા, ટ્રકો, સાથે ગણેશજીને પુષ્પાના હિરો અલ્લુ અર્જુન જેવા જ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે.

શહેરના નરોડા વિસ્તારમાં આવેલ છારા નગરમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની થીમ ઉપર ગણેશજીની પધરામણી કરવામાં આવી છે. અહીં પુષ્પા પિક્ચરના કલાકારો, કરન્સી, ચંદનના લાકડા, ટ્રકો, સાથે ગણેશજીને પુષ્પાના હિરો અલ્લુ અર્જુન જેવા જ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે.

5 / 7
 જો તમારે ગણપતીજીની સાથે વારાણસી શહેર અને તેના કિનારાના વિવિધ ઘાટો ના દર્શન કરવા હોય તો ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલમાં કરી શકશો. અહીં વારાણસી ઘાટ, મણિકર્ણિકા ઘાટ, મૂન્સી ઘાટ વગેરેની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.

જો તમારે ગણપતીજીની સાથે વારાણસી શહેર અને તેના કિનારાના વિવિધ ઘાટો ના દર્શન કરવા હોય તો ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલમાં કરી શકશો. અહીં વારાણસી ઘાટ, મણિકર્ણિકા ઘાટ, મૂન્સી ઘાટ વગેરેની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.

6 / 7
12 જુન 2025 ના રોજ થયેલ એર ઇન્ડિયા 171 બોઈંગ ડ્રીમ લાઈનર પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ હતી. અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં આ દુર્ઘટના બાદ થયેલ બચાવ અને રાહત કામગીરીની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. જેમાં વિઘ્નહર્તાને ફાયર બિગ્રેડની ભૂમિકામાં એટલે કે અહીં રેસ્ક્યુની કામગીરી કરતા દેખાડવામાં આવ્યા છે. આ ગણેશ પંડાલમા મૂષકોને રાહતની કામગીરી કરતા જોઈ શકાય છે.

12 જુન 2025 ના રોજ થયેલ એર ઇન્ડિયા 171 બોઈંગ ડ્રીમ લાઈનર પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ હતી. અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં આ દુર્ઘટના બાદ થયેલ બચાવ અને રાહત કામગીરીની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. જેમાં વિઘ્નહર્તાને ફાયર બિગ્રેડની ભૂમિકામાં એટલે કે અહીં રેસ્ક્યુની કામગીરી કરતા દેખાડવામાં આવ્યા છે. આ ગણેશ પંડાલમા મૂષકોને રાહતની કામગીરી કરતા જોઈ શકાય છે.

7 / 7
અમદાવાદ શહેરમાં આવેલ લુણસાવાડ તીન બત્તી યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર અને આદિ યોગીની થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ગણેશજીના વાહન મુષકો એટલે કે ઉંદરોને સૈનિકોના સ્વરૂપમાં વિવિધ શાસ્ત્રો સાથે દર્શાવવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં આવેલ લુણસાવાડ તીન બત્તી યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર અને આદિ યોગીની થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ગણેશજીના વાહન મુષકો એટલે કે ઉંદરોને સૈનિકોના સ્વરૂપમાં વિવિધ શાસ્ત્રો સાથે દર્શાવવામાં આવ્યા છે.

Published On - 1:07 pm, Mon, 1 September 25