Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 1400 થી વધુના મોત, ભારત મોકલી 21 ટન રાહત સામગ્રી

રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સામે આવેલ માહિતી અનુસાર 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 21 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, રાહત સામગ્રી હવાઈ માર્ગે કાબુલ પહોંચાડવામાં આવી રહી છે.

| Edited By: | Updated on: Sep 03, 2025 | 5:02 PM
4 / 6
ભૂકંપગ્રસ્ત અફધાનિસ્તાનમાં, ભારતીય સહાય હવાઈ માર્ગે કાબુલ પહોંચી રહી છે. મંગળવારે 21 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં ધાબળા, તંબુ, સ્વચ્છતા કીટ, પાણી સંગ્રહ ટાંકી, જનરેટર, રસોડાના વાસણો, પોર્ટેબલ વોટર પ્યુરિફાયર, સ્લીપિંગ બેગ, આવશ્યક દવાઓ, વ્હીલચેર, હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ થાય છે.

ભૂકંપગ્રસ્ત અફધાનિસ્તાનમાં, ભારતીય સહાય હવાઈ માર્ગે કાબુલ પહોંચી રહી છે. મંગળવારે 21 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં ધાબળા, તંબુ, સ્વચ્છતા કીટ, પાણી સંગ્રહ ટાંકી, જનરેટર, રસોડાના વાસણો, પોર્ટેબલ વોટર પ્યુરિફાયર, સ્લીપિંગ બેગ, આવશ્યક દવાઓ, વ્હીલચેર, હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ થાય છે.

5 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું.

6 / 6
અફઘાન અધિકારીઓએ માહિતી આપી છે કે પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 1400 થી વધુ થઈ ગયો છે અને 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. WHO અનુસાર, આ ભૂકંપથી 12 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

અફઘાન અધિકારીઓએ માહિતી આપી છે કે પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 1400 થી વધુ થઈ ગયો છે અને 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. WHO અનુસાર, આ ભૂકંપથી 12 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.