
મેડિકલ ઇમરજન્સી: જો કોઈ મુસાફર ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે અચાનક બીમાર પડી જાય તો IRCTC તેને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે. તેણે ફક્ત 139 પર કૉલ કરવાનો રહેશે અથવા ટ્રેનમાં હાજર સ્ટાફની મદદ લેવાની રહેશે.

મફત ભોજન સુવિધા: IRCTC તેની કેટલીક પ્રીમિયમ ટ્રેનો જેમ કે રાજધાની, દુરંતો, શતાબ્દીમાં મુસાફરી કરતા મુસાફરોને મફત ભોજન સેવા પૂરી પાડે છે. એટલું જ નહીં જો કોઈ ટ્રેન કોઈપણ કારણોસર 2 કે તેથી વધુ કલાક મોડી પડે છે, તો મુસાફરોને IRCTC કેન્ટીનમાં મફત ભોજન આપવામાં આવે છે.

લોકર રૂમ: ઘણી વાર એવું બને છે કે મુસાફરી દરમિયાન ટ્રેનો મોડી પડે છે. આવી સ્થિતિમાં મુસાફરો માટે તેમના સામાન સાથે ફરવું મુશ્કેલ બની શકે છે. પરંતુ જો તમારી પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ હોય, તો તમે ભારતીય રેલવેના લોકર રૂમ અને ક્લોકરૂમનો ઉપયોગ કરી શકો છો. તમને આ સુવિધા બધા સ્ટેશનો પર ખૂબ જ ઓછા દરે મળશે જ્યાં તમે તમારો સામાન 24 કલાક રાખી શકો છો.

ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વીમો: ભારતીય રેલવે ટિકિટ બુકિંગ સમયે ફક્ત 45 પૈસા ખર્ચ કરીને તેના મુસાફરોને 10 લાખ રૂપિયા સુધીનો મુસાફરી વીમો પૂરો પાડે છે. જે કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં મુસાફરના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડે છે.