ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાના નિધનનો નેતા-અભિનેતા સૌ કોઇ શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે નરેશ અને મહેશ કનોડિયાનું મૂળ વતન મહેસાણાનું કનોડા ગામ છે.ત્યારે કનોડા ગામના લોકોએ નરેશ કનોડિયાના નિધનને લઇ શોક વ્યક્ત કર્યો છે. નરેશ કનોડિયાને અને મહેશ કનોડિયાને લઇ કનોડા ગામના લોકોનું કહેવું છે કે જ્યારે પણ જરુર પડી મહેશભાઇ અને નરેશભાઇએ કામ ઉપાડી લીધું છે. સાથે જ ગ્રામજનોનું કહેવું છે કે ગામના વિકાસમાં નરેશભાઇ અને મહેશભાઇનો ફાળો મહત્વનો રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો