AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આકાશનો રંગ દિવસભર વાદળી અને સાંજના સમયે કેમ નારંગી દેખાય છે ? જાણો તેના પાછળનું રસપ્રદ કારણ

વિજ્ઞાન કહે છે કે સૂર્ય ખૂબ શક્તિશાળી છે. દર સેકન્ડે સૂર્ય એટલી ઊર્જા છોડે છે જેટલી તે 100 અબજ પરમાણુ બોમ્બમાંથી નીકળે છે. તેનું ઉદાહરણ સૌર ઉર્જા છે. સોલાર પેનલ દ્વારા સૂર્યની ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન થાય છે.

આકાશનો રંગ દિવસભર વાદળી અને સાંજના સમયે કેમ નારંગી દેખાય છે ? જાણો તેના પાછળનું રસપ્રદ કારણ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 3:02 PM
Share

આકાશ(Sky)નો રંગ વાદળી(Blue)કેમ છે? આ પ્રશ્ન પૂછવા પર મોટાભાગના લોકો કહે છે કે સમુદ્ર અને મહાસાગરનો રંગ વાદળી હોવાથી આકાશનો રંગ પણ એક સરખો જ છે, પરંતુ તેમાં કોઈ સત્ય નથી. જો આપણે તેને વૈજ્ઞાનિક (Scientific Reason) દષ્ટિએ જોઈએ તો તેનો સંબંધ સૂર્ય (Son)ના કિરણો સાથે છે. આ કિરણોના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના વાદળોનો રંગ નારંગી અને દિવસ આખો વાદળી રહે છે.

આ કારણે આકાશ વાદળી દેખાય છે

વાતાવરણમાં ધૂળ અને માટીના ખૂબ જ નાના કણો (Molecule) જોવા મળે છે. જ્યારે સૂર્યના કિરણો આ કણો પર પડે છે, ત્યારે તે સાત રંગોમાં થાય છે. આ સાત રંગોમાં વાયોલેટ, ઈન્ડિગો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલનો સમાવેશ થાય છે. જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે વાદળી અને ઈન્ડિગોની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હોય છે. લાલ રંગ સૌથી લાંબી તરંગ લંબાઇ ધરાવે છે. પરિણામે, વાદળી અને ઈન્ડિગો રંગના કિરણો આકાશમાં વધુ પથરાય છે, તેથી દિવસ દરમિયાન આકાશી રંગ (Sky Blue Color)નું દેખાય છે.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશ કેમ નારંગી દેખાય છે ?

ઘણીવાર તમે જોયું હશે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન આકાશનો રંગ નારંગી અથવા લાલ દેખાય છે. તેનું કારણ પણ પ્રકાશના કિરણો છે. વિજ્ઞાન કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય પૃથ્વીની ખૂબ નજીક હોય છે. આ દરમિયાન, સૂર્યનું તાપમાન ઓછું હોય છે અને લાલ અને નારંગી રંગો કરતાં વાદળી અને લીલા કિરણો વધુ પ્રતિબિંબિત થાય છે. આથી આકાશનો રંગ લાલ કે કેસરી દેખાય છે. સાદી ભાષામાં સમજીએ તો જે રંગના કિરણો વધુ પથરાય છે, એ જ રંગ આકાશમાં દેખાય છે.

દરિયાનું વાદળી દેખાવું પણ શું સૂર્યના કિરણોના કારણે છે ?

ઘણીવાર તમે જોયું હશે કે સમુદ્ર કે મહાસાગર વાદળી રંગમાં રંગાયેલો દેખાય છે, પરંતુ જ્યારે તમે નજીક જઈને પાણીને જુઓ છો તો તેનો રંગ વાદળી નથી હોતો. તેનું કારણ પણ સૂર્યના કિરણો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણીમાં સૂર્યના કિરણોને શોષવાની શક્તિ હોય છે. દિવસ દરમિયાન જ્યારે સૂર્યના કિરણો પાણી પર પડે છે, ત્યારે પાણી પ્રકાશમાંથી નીકળતા અન્ય રંગીન કિરણોને શોષી લે છે, પરંતુ વાદળી કિરણને પ્રતિબિંબિત કરે છે. પ્રકાશના આ પ્રતિબિંબને કારણે, સમુદ્રનો રંગ વાદળી દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે વાદળી નથી.

વિજ્ઞાન કહે છે કે સૂર્ય ખૂબ શક્તિશાળી છે. દર સેકન્ડે સૂર્ય એટલી ઊર્જા છોડે છે જેટલી તે 100 અબજ પરમાણુ બોમ્બમાંથી નીકળે છે. તેનું ઉદાહરણ સૌર ઉર્જા છે. સોલાર પેનલ દ્વારા સૂર્યની ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન થાય છે. જે ગામડાઓમાં હજુ પણ વીજળી પહોંચી નથી ત્યાં સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો

આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">