Knowledge : 360 વર્ષ પહેલા ડૂબેલું જહાજ મળી આવ્યું, દરિયામાં મળી આવ્યો ખજાનાનો મોટો જથ્થો
એલન એક્સપ્લોરેશનના આર્કિયોલોજિસ્ટ(Archeologist ) જિમ સિંકલેરે જણાવ્યું હતું કે સમુદ્રની અંદર મળેલી આ કલાકૃતિઓ દર્શાવે છે કે તે સમયે માનવીઓ કેવા પ્રકારની વસ્તુઓ પહેરતા હતા અને ઉપયોગમાં લેતા હતા.
તારીખ હતી 4 જાન્યુઆરી 1656ની. જયારે એક સ્પેનિશ(Spanish ) જહાજ (Ship ) ક્યુબાથી સેવિલે જઈ રહ્યું હતું. ત્યારે તે જહાજ બહામાસમાં ‘લિટલ બહામા બેંક’ પાસે એક ખડક (Rock )સાથે અથડાયું અને ગણતરીની 30 મિનિટમાં તે જહાજ ડૂબી ગયું. જોકે આ વહાણની અંદર ઘણો ખજાનો હતો. પરંતુ આટલા વર્ષો બાદ હવે આ ખજાનાનો એક ભાગ દરિયામાં મળી આવ્યો છે. ખજાનાને શોધનારાઓ દાવો કરે છે કે સમુદ્રની નીચે હજુ પણ ઘણી વસ્તુઓ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે 360 વર્ષ વીતી ગયા પછી પણ જહાજને શોધવું ખૂબ જ પડકારજનક બની ગયું હતું.
એવું માનવામાં આવે છે કે સમુદ્રમાં જહાજ ડૂબી ગયા બાદ તેના ટુકડાઓ કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયા હતા. આ જહાજનું વજન 891 ટન હતું. જહાજમાં 650 મુસાફરો હતા, જેમાંથી માત્ર 45 જ બચ્યા હતા. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર, આ જહાજની અંદર 3.5 મિલિયન જેટલો ખજાનો હતા. તેમાંથી, 1656 અને 1990 ની શરૂઆત વચ્ચે ફક્ત જહાજના 8 ટુકડાઓ મળી શક્યા.
એલન એક્સપ્લોરેશનના સ્થાપક કાર્લ એલને ‘ફોક્સ ન્યૂઝ ડિજિટલ’ને આપેલા ઈન્ટરવ્યુમાં આ જહાજ અને ખજાના વિશે ઘણી બાબતો શેર કરી હતી. કાર્લ એલને કહ્યું કે તેણે અને તેની ટીમે જુલાઈ 2020 માં વોકરના કે ટાપુ નજીક મૂલ્યવાન કલાકૃતિઓ શોધવાનું શરૂ કર્યું. આ ટાપુ બહામાસના ઉત્તરમાં સ્થિત છે. આ માટે હાઇ રિઝોલ્યુશન મેગ્નોમીટર, જીપીએસ, મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કાર્લ એલન કહે છે કે, તેણે જહાજનો કાટમાળ શોધવા માટે બહામાસની સરકાર પાસેથી પરવાનગી લીધી હતી. જેથી બહામાસના ઉત્તરીય વિસ્તારો શોધી શકાય. આ વિસ્તાર જહાજના ભંગારનું હોટસ્પોટ હતો. જ્યારે અહીં શોધ શરૂ થઈ ત્યારે ઘણી અભૂતપૂર્વ બાબતો સામે આવી.
ચાંદી અને સોનાના સિક્કા મળી આવ્યા
કાર્લ એલને જણાવ્યું કે જહાજની શોધ દરમિયાન નીલમ, નીલમ, તોપ જેવા રત્નો, 3000 ચાંદીના સિક્કા અને 25 સોનાના સિક્કા મળી આવ્યા. ચાઈનીઝ પોર્સેલિન, લોખંડની સાંકળો પણ મળી આવી હતી. ચાંદીની તલવારની હેન્ડલ પણ મળી આવી હતી. ચાર પેન્ડન્ટ, ધાર્મિક પ્રતીકો પણ મળી આવ્યા હતા. 887 ગ્રામ વજનની સોનાની ચેઈન પણ મળી આવી હતી.
આ વસ્તુઓ મ્યુઝિયમમાં જોવા મળશે
એલન એક્સપ્લોરેશનના આર્કિયોલોજિસ્ટ જિમ સિંકલેરે જણાવ્યું હતું કે સમુદ્રની અંદર મળેલી આ કલાકૃતિઓ દર્શાવે છે કે તે સમયે માનવીઓ કેવા પ્રકારની વસ્તુઓ પહેરતા હતા અને ઉપયોગમાં લેતા હતા. આ વસ્તુઓ મેળવ્યા પછી, ઇતિહાસ અને માનવ વર્તનને સમજવામાં સરળતા રહેશે.
એલન એક્સપ્લોરેશનના પ્રવક્તા બિલ સ્પ્રિંગરે કહ્યું કે તેમની સંસ્થા કંઈપણ વેચતી કે હરાજી કરતી નથી. જે વસ્તુઓ મળી છે તે અમૂલ્ય છે. આ તમામ વસ્તુઓ પ્રદર્શનનો ભાગ હશે અને એલન એક્સપ્લોરેશનના બહામાસ મેરીટાઇમ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ મ્યુઝિયમ ફ્રીપોર્ટમાં પોર્ટ લુકાયા માર્કેટપ્લેસમાં આવેલું છે.