AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamuna Water Level: દિલ્હીને ફરી ડુબાડશે યમુના! ખતરાના નિશાનથી ફરી ઉપર પહોંચ્યુ જળસ્તર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં ઝરમર અને હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયાના ઓછામાં ઓછા અંત સુધી ભેજવાળી ગરમીથી કોઈ રાહત નથી.

Yamuna Water Level: દિલ્હીને ફરી ડુબાડશે યમુના! ખતરાના નિશાનથી ફરી ઉપર પહોંચ્યુ જળસ્તર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 8:52 PM
Share

Delhi Yamuna Water Level: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) પૂરથી કોઈ રાહત નથી મળી કે યમુનાનું જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. શુક્રવારે સાંજે 6 વાગ્યે જૂના રેલવે બ્રિજ પર યમુનાનું જળસ્તર 205.34 મીટર નોંધાયું છે. યમુનાના વધતા જળ સ્તરે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. નદીના વધતા જળસ્તરને જોતા દિલ્હી સરકારે તેના અધિકારીઓને સતર્ક રહેવા અને જરૂરી પગલાં ભરવાની સલાહ આપી છે.

આગલા દિવસે સવારે 8 વાગ્યે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું, પરંતુ બીજા દિવસે એટલે કે શુક્રવારે 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કરીને સાંજે 6 વાગ્યા સુધીમાં નદીનું જળસ્તર 205.34 મીટરે પહોંચી ગયું હતું. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા અનુસાર યમુનાના જળસ્તરમાં રાત્રે વધુ વધારો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે પૂર દરમિયાન નદીનું જળસ્તર 13 જુલાઈના રોજ 208.66 મીટરે પહોંચ્યું હતું અને તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

આ પણ વાંચો: Manipur Violence: મણિપુર મુદ્દે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર, વિપક્ષ નથી આપી રહ્યું સહયોગ: પ્રહ્લાદ જોશી

દિલ્હીમાં ગત સપ્તાહે આવેલા પૂરને કારણે લાલ કિલ્લો, દિલ્હી સચિવાલય, રાજઘાટ, આઈટીઓ, અક્ષરધામ, મયુર બિહાર અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાત એવી આવી હતી કે સરકારે રાજધાની વજીરાબાદ, ચંદ્રવાલ અને ઓખલામાં ત્રણ મોટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા પડ્યા હતા. અનેક અંડરપાસ પાણીમાં ડૂબી ગયા હતા. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં ઝરમર અને હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયાના ઓછામાં ઓછા અંત સુધી ભેજવાળી ગરમીથી કોઈ રાહત નથી. જો કે આગામી સપ્તાહથી હવામાનમાં ફેરફાર જોવા મળશે અને વરસાદની ગતિવિધિઓ પણ વધી શકે છે. વિભાગે ગુરુવારે જાહેર કરેલા તેના ડેટામાં જણાવ્યું હતું કે આ મહિનામાં 19માંથી 14 દિવસ વરસાદ નોંધાયો છે.

દિલ્હીમાં પૂરના કારણે હજારો લોકો બેઘર બન્યા હતા. મોટાભાગના ઘરોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા. મળતી માહિતી મુજબ, પૂરના કારણે 25000થી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. આમાંથી મોટાભાગના લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો હતો. જોકે, પૂરના પાણી ઓછુ થયા બાદ મોટાભાગના લોકો પોતાના ઘરે પરત ફર્યા છે, પરંતુ યમુના નદીના જળસ્તર વધવાને કારણે આ લોકોની ચિંતા ફરી એકવાર વધી ગઈ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">