Manipur Violence: મણિપુર મુદ્દે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર, વિપક્ષ નથી આપી રહ્યું સહયોગ: પ્રહ્લાદ જોશી

સંસદીય કાર્ય મંત્રીએ લોકસભામાં કહ્યું, 'હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અમે વારંવાર આ વાત કહી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ વાત કહી છે. આ એક સંવેદનશીલ મામલો છે.

Manipur Violence: મણિપુર મુદ્દે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર, વિપક્ષ નથી આપી રહ્યું સહયોગ: પ્રહ્લાદ જોશી
Prahlad Joshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 7:08 PM

Manipur: મણિપુર મુદ્દે સંસદમાં હંગામો થયો છે, જેના કારણે ગૃહની કાર્યવાહી ચાલી રહી નથી. દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી(Pralhad Joshi) શુક્રવારે કહ્યું કે સ્પીકર જે પણ સૂચના આપે છે તે અંગે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ તરફ નવી માગણીઓ લાવવા અને ચર્ચામાં અવરોધ ઉભો કરવો ખોટી બાબત છે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સત્તાવાર રીતે સ્પીકર અને અધ્યક્ષને કહ્યું છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ.

(Credit- Pralhad Joshi Tweet) 

તેમણે કહ્યું, ‘સરકારે દરેક મંચ પર કહ્યું છે કે તે ગૃહના નિયમો અનુસાર મણિપુરના વિષય પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, તેમ છતાં તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષ અલગ-અલગ બહાના કરીને ગૃહને ચાલવા દેતું નથી. વિપક્ષ પોતે હંગામો મચાવીને ગૃહને ચાલવા દેતું નથી, પછી તેના માટે સરકારને જવાબદાર ઠેરવે છે, તે ખોટું છે.

આ પણ વાંચો: CM બિરેન સિંહને તરત હટાવવામાં આવે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય: રાઘવ ચઢ્ઢા

સંસદીય કાર્ય મંત્રીએ લોકસભામાં કહ્યું, ‘હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અમે વારંવાર આ વાત કહી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ વાત કહી છે. આ એક સંવેદનશીલ મામલો છે. સમગ્ર ગૃહ અને દેશ આનાથી સમાન રીતે ચિંતિત છે. અમારી અનેક વિનંતીઓ છતાં વિપક્ષ અમને સહકાર આપી રહ્યો નથી. તેઓ ચર્ચા કરવા માંગતા નથી.

વિપક્ષોએ મણિપુર મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ – અર્જુન રામ મેઘવાલ

તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ બિલો છે અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સંસદમાં વ્યાપક ચર્ચા કરવા માંગે છે. વિપક્ષ માત્ર ખોટી વાર્તા રચીને સંસદની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું, ‘હું વિપક્ષને અપીલ કરવા માંગુ છું કે તે વારંવાર પોતાનું સ્ટેન્ડ ન બદલે અને રાજનીતિ ન કરે કારણ કે તે મહિલાઓની ગરિમા સાથે જોડાયેલો ખૂબ જ સંવેદનશીલ મામલો છે. મને લાગે છે કે સંસદનું સત્ર ચાલવું જોઈએ કારણ કે અમે આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">