AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: મણિપુર મુદ્દે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર, વિપક્ષ નથી આપી રહ્યું સહયોગ: પ્રહ્લાદ જોશી

સંસદીય કાર્ય મંત્રીએ લોકસભામાં કહ્યું, 'હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અમે વારંવાર આ વાત કહી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ વાત કહી છે. આ એક સંવેદનશીલ મામલો છે.

Manipur Violence: મણિપુર મુદ્દે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર, વિપક્ષ નથી આપી રહ્યું સહયોગ: પ્રહ્લાદ જોશી
Prahlad Joshi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 7:08 PM
Share

Manipur: મણિપુર મુદ્દે સંસદમાં હંગામો થયો છે, જેના કારણે ગૃહની કાર્યવાહી ચાલી રહી નથી. દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી(Pralhad Joshi) શુક્રવારે કહ્યું કે સ્પીકર જે પણ સૂચના આપે છે તે અંગે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ તરફ નવી માગણીઓ લાવવા અને ચર્ચામાં અવરોધ ઉભો કરવો ખોટી બાબત છે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સત્તાવાર રીતે સ્પીકર અને અધ્યક્ષને કહ્યું છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ.

(Credit- Pralhad Joshi Tweet) 

તેમણે કહ્યું, ‘સરકારે દરેક મંચ પર કહ્યું છે કે તે ગૃહના નિયમો અનુસાર મણિપુરના વિષય પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, તેમ છતાં તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષ અલગ-અલગ બહાના કરીને ગૃહને ચાલવા દેતું નથી. વિપક્ષ પોતે હંગામો મચાવીને ગૃહને ચાલવા દેતું નથી, પછી તેના માટે સરકારને જવાબદાર ઠેરવે છે, તે ખોટું છે.

આ પણ વાંચો: CM બિરેન સિંહને તરત હટાવવામાં આવે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય: રાઘવ ચઢ્ઢા

સંસદીય કાર્ય મંત્રીએ લોકસભામાં કહ્યું, ‘હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અમે વારંવાર આ વાત કહી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ વાત કહી છે. આ એક સંવેદનશીલ મામલો છે. સમગ્ર ગૃહ અને દેશ આનાથી સમાન રીતે ચિંતિત છે. અમારી અનેક વિનંતીઓ છતાં વિપક્ષ અમને સહકાર આપી રહ્યો નથી. તેઓ ચર્ચા કરવા માંગતા નથી.

વિપક્ષોએ મણિપુર મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ – અર્જુન રામ મેઘવાલ

તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ બિલો છે અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સંસદમાં વ્યાપક ચર્ચા કરવા માંગે છે. વિપક્ષ માત્ર ખોટી વાર્તા રચીને સંસદની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું, ‘હું વિપક્ષને અપીલ કરવા માંગુ છું કે તે વારંવાર પોતાનું સ્ટેન્ડ ન બદલે અને રાજનીતિ ન કરે કારણ કે તે મહિલાઓની ગરિમા સાથે જોડાયેલો ખૂબ જ સંવેદનશીલ મામલો છે. મને લાગે છે કે સંસદનું સત્ર ચાલવું જોઈએ કારણ કે અમે આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">