પીએમ મોદીએ મંત્રાલયોના સચિવો સાથે બોલાવી હાઈ લેવલ બેઠક, 4 કલાકથી પણ વધારે ચાલેલી આ બેઠકમાં PMએ આપ્યા કેટલાક મહત્વના સુચનો

પીએમ નરેન્દ્ર મોદીની સામે એક ડઝનથી વધુ સચિવોએ નીતિ સંબંધિત વિષયો અને તેમના સંબંધિત મંત્રાલયોના કામ પર તેમના મંતવ્યો આપ્યા. માનવામાં આવે છે કે સચિવ કક્ષાની બેઠક બાદ ટૂંક સમયમાં મોટો બ્યુરોક્રેટીક બદલાવ આવી શકે છે.

પીએમ મોદીએ મંત્રાલયોના સચિવો સાથે બોલાવી હાઈ લેવલ બેઠક, 4 કલાકથી પણ વધારે ચાલેલી આ બેઠકમાં PMએ આપ્યા કેટલાક મહત્વના સુચનો
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 12:10 AM

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે તમામ મંત્રાલયોના સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક સાંજે 4 વાગ્યે શરૂ થઈ અને 8 વાગ્યા પછી સમાપ્ત થઈ. આ દરમિયાન પીએમ મોદીએ તમામ સચિવોને તેમના સંબંધિત વિભાગમાં સચિવોની જેમ નહીં, પરંતુ નેતા તરીકે કામ કરવા કહ્યું છે. મંત્રાલયોના કામો અને યોજનાઓના અમલીકરણ પર વધુ ધ્યાન આપવાનું પણ કહ્યું.

તેમણે કહ્યું કે અમે આવી બેઠક અગાઉથી યોજવા માંગતા હતા, પરંતુ કોરોનાને કારણે તે શક્ય ન હતું. પીએમની સામે એક ડઝનથી વધુ સચિવોએ નીતિ સંબંધિત વિષયો અને તેમના સંબંધિત મંત્રાલયોના કામ પર તેમના વિચારો રાખ્યા. માનવામાં આવે છે કે સચિવ કક્ષાની બેઠક બાદ ટૂંક સમયમાં મોટો બ્યુરોક્રેટીક બદલાવ આવી શકે છે. પીએમ મોદી સતત બેઠકો કરી રહ્યા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ પહેલા પણ 14 સપ્ટેમ્બરના રોજ તેમણે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજી હતી, જેમાં ઘણી નીતિઓ પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદ સાથે ‘ચિંતન શિબિર’નું આયોજન કર્યું હતું અને કહ્યું હતું કે સાદગી જ જીવન જીવવાની શૈલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં શાસન અને નીતિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ કેવી રીતે લોકો સુધી વધારે અસરકારક રીતે પહોંચાડવામાં આવે.

મંત્રી પરિષદની બેઠકમાં 15 લોકોએ પોતાની વાત મૂકી

સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રી પરિષદની બેઠકમાં કુલ 15 લોકોએ પોતાના મંતવ્યો આપ્યા હતા. બેઠકમાં ટાઈમ મેનેજમેન્ટને લઈને મંત્રીઓને યુક્તિઓ જણાવવામાં આવી હતી. સાથે – સાથે સિંપલ લીવીંગ એન્ડ હાઈ થીંકીંગનો મંત્ર પણ આપવામાં આવ્યો હતો. આ ક્રમમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં શાસન અને નીતિ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. પોતાના ગુજરાતના દિવસોને યાદ કરીને પીએમ મોદીએ ટિફિન મીટિંગ્સ વિશે વાત કરી હતી, જ્યાં દરેક લોકો બેઠકોમાં પોતાના ટિફિન લાવતા હતા અને ભોજનની સાથે સાથે વિચારો પણ એકબીજા સાથે વહેંચતા હતા.

મંત્રી પરિષદની બેઠક લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી

આ બેઠક રાષ્ટ્રપતિ ભવનના ઓડિટોરિયમમાં થઈ હતી અને લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી. પ્રધાનમંત્રી મોદી નિયમિત રીતે મંત્રી પરિષદની બેઠકો યોજે છે, જેમાં મંત્રીઓ મહત્વના મુદ્દાઓ પર મંત્રી પરિષદ આપે છે. આ બેઠકો મંત્રીઓને વિવિધ કલ્યાણ યોજનાઓ વિશે નવીનતમ માહિતી મેળવવામાં મદદ કરે છે. ગયા મહિને મળેલી મંત્રી પરિષદની બેઠકમાં તમામ પ્રધાનો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમો માટે નવા વિચારો (Idea) માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  ક્રિકેટ હોય કે રાજકારણ, સિદ્ધુનું વલણ ‘કેપ્ટન’ સામે બળવાખોર રહ્યું, અંતે પંજાબના કેપ્ટનને પણ ટીમમાંથી કર્યા OUT

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">