‘અવની’ વાઘણ મામલે SUPREME COURTની મહારાષ્ટ્રનાં અધિકારીઓને નોટીસ, હત્યારાઓને પુરસ્કાર કેમ આપ્યો?

|

Feb 11, 2021 | 7:56 AM

સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ વિકાસ ખડગે આઈએએસ અને આઠ અન્ય લોકોને 2018 માં યવતમાલ જિલ્લામાં  વાઘ અવનીના હત્યારાઓને પુરસ્કાર આપવા બદલ નોટિસ ફટકારી હતી.

અવની વાઘણ મામલે SUPREME COURTની મહારાષ્ટ્રનાં અધિકારીઓને નોટીસ, હત્યારાઓને પુરસ્કાર કેમ આપ્યો?

Follow us on

સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ વિકાસ ખડગે આઈએએસ અને આઠ અન્ય લોકોને 2018 માં યવતમાલ જિલ્લામાં  વાઘ અવનીના હત્યારાઓને પુરસ્કાર આપવા બદલ સુપ્રીમ કોર્ટે (SUPREME COURT)નોટિસ ફટકારી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વન્યપ્રાણી સંશોધનકાર સંગીત ડોંગરા દ્વારા દાખલ કરેલી અરજી પર નોટિસ ફટકારી હતી જેમાં જણાવ્યું છે કે અદાલતની સૂચનાનો ભંગ કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ડોંગરાએ એવો દાવો પણ કર્યો હતો કે વન અધિકારીઓએ ‘અવની’ ની હત્યા એક પાયાવિહોણા આરોપ હત્યા કરી હતી. લોકોનું માનવું હતું કે, 13 લોકોની હત્યા કરનાર વાઘણ માણસો ખાતી વાઘણ હતી. ડોંગરાએ રજૂઆત કરી હતી કે વાઘણના પોસ્ટ મોર્ટમ અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે તે કોઈ માણસભક્ષી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ તકે સીજેઆઈએ પૂછ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા માણસભક્ષી છે કે કેમ તે જાણવાનું શક્ય બનાવ્યું છે. ડોંગરાએ સ્પષ્ટતા કરી હતી, ” માણસભક્ષી પ્રાણીઓમાં 6 મહિના સુધી માનવ વાળ, નખ, દાંત, આંતરડા હશે. તેના શરીરમાં કોઈ માનવ અવશેષો મળ્યાં નથી.”

Next Article