કયાં દર્દીઓને હોય છે Mucormicosisનો ખતરો, એઇમ્સના ડિરેક્ટરે આપ્યો જવાબ

|

May 15, 2021 | 8:33 PM

દેશમાં કોરોના વાયરસની સાથે હવે Mucormicosis ના કેસો પણ વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં એવા દર્દીઓ મળ્યા છે જેમાં આ ફૂગનો ચેપ જોવા મળ્યો છે. Mucormicosis ના કેસની વૃદ્ધિ પાછળ કોરોના વાયરસની સાથે સાથે સ્ટીરોઇડ્સને પણ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે

કયાં દર્દીઓને હોય છે  Mucormicosisનો ખતરો, એઇમ્સના ડિરેક્ટરે આપ્યો જવાબ
Mucormicosis ના ખતરા માટે જવાબદાર છે સ્ટીરોઇડ, એઇમ્સના ડિરેક્ટરે જણાવી સચ્ચાઈ

Follow us on

દેશમાં કોરોના વાયરસની સાથે હવે Mucormicosis ના કેસો પણ વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં એવા દર્દીઓ મળ્યા છે જેમાં આ ફૂગનો ચેપ જોવા મળ્યો છે. Mucormicosis ના કેસની વૃદ્ધિ પાછળ કોરોના વાયરસની સાથે સાથે સ્ટીરોઇડ્સને પણ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. શનિવારે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ Mucormicosis વિશે જણાવ્યું હતું કે ડાયાબિટીસ, કોરોના પોઝિટિવ અને સ્ટેરોઇડ્સના દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં આપણે સ્ટેરોઇડનો દુરૂપયોગ બંધ કરવો જોઈએ.

જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે દેશમાં કોવિડ -19 ના કુલ કેસમાંથી 85 ટકા લોકો 10 રાજ્યોના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 11 રાજ્યોમાં એક લાખથી વધુ ચેપના કેસો સારવાર હેઠળ છે. જ્યારે આઠ રાજ્યોમાં 50 હજારથી એક લાખ દર્દીઓ સારવાર હેઠળનાછે. જ્યારે 24 રાજ્યોમાં ચેપનો દર 15 ટકાથી વધુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં રોગચાળાના 326098 નવા કેસ નોંધાયા છે, જેમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 24372907 પર પહોંચી ગઈ છે. આ સાથે દેશમાં રોગચાળાને કારણે વધુ 3890 લોકોનાં મોત નીપજ્યાં છે, જેથી મૃતકોની કુલ સંખ્યા 266207 પર પહોંચી ગઈ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મંત્રાલયે કહ્યું કે દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 36,73,802 પર આવી છે, જે કુલ કેસના 15.07 ટકા છે. દેશના કોરોના રિકવરી રેટ 83.83 ટકા પર પહોંચી ગયો છે. એકંદરે પરિસ્થિતિ સ્થિર થઈ રહી છે, અમે તેને વધુ સ્થિર બનાવવા માટે કામ કરીશું.

સરકારે કહ્યું છે કે કોવિડ -19 દેશના 24 રાજ્યોમાં ચેપ દર 15 ટકાથી વધુ છે. હાલમાં 11 રાજ્યોમાં એક લાખથી વધુ સારવાર હેઠળના દર્દીઓ છે, આઠ રાજ્યોમાં 50,000 થી એક લાખ દર્દીઓ. કોરોના વાયરસના 85 ટકા કેસ 10 રાજ્યોમાંથી આવ્યા છે

Published On - 8:30 pm, Sat, 15 May 21

Next Article