Good news : ભારત બાયોટેકને કોવેક્સિન માટેની મંજૂરી ક્યારે મળશે ? WHOએ આપ્યું મોટું નિવેદન

|

Oct 28, 2021 | 9:31 AM

ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે મંગળવારે ભારતની સ્વદેશી રસીને કટોકટીના ઉપયોગની લિસ્ટમાં સામેલ કરવા માટે કોવેક્સિન પરના ડેટાની સમીક્ષા કરવા માટે બેઠક કરી હતી.

Good news : ભારત બાયોટેકને કોવેક્સિન માટેની મંજૂરી ક્યારે મળશે ? WHOએ આપ્યું મોટું નિવેદન
covaxin

Follow us on

કોવેક્સિનની (Covaxin) મંજૂરી 7 મહિનાથી અટકી છે. 19 એપ્રિલના રોજ રસીએ WHO પાસેથી મંજૂરી માંગી હતી. પરંતુ ત્યારથી WHO મંજૂરીને બદલે તારીખ પર તારીખ આપી રહ્યું છે. હવેની નવી તારીખ 3 નવેમ્બર છે. 

ફરી એકવાર WHO પર સવાલો ઉભા થયા છે. શું આ ભારતીય રસીઓ સામે ભેદભાવપૂર્ણ નીતિ નથી? વેક્સીન કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં સ્વદેશી રસી અસરકારક શસ્ત્ર સાબિત થઈ છે. દેશમાં 104 કરોડથી વધુ ડોઝ મેળવવામાં અને ભારતીયોને કોરોના બખ્તરથી સજ્જ કરવામાં કોવેક્સિનની મહત્વની ભૂમિકા છે. પરંતુ હજુ સુધી WHOએ તેને મંજૂરી આપી નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ બુધવારે જણાવ્યું હતું કે તેણે ભારત બાયોટેક પાસેથી ઇમરજન્સી ઉપયોગના લિસ્ટમાં ભારતની સ્વદેશી એન્ટિ-કોવિડ રસી ‘કોવેક્સિન’ના સમાવેશ માટે અંતિમ “લાભ-જોખમ આકારણી” કરવા માટે “વધારાની સ્પષ્ટતા” માંગી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં પ્રાપ્ત થઇ શકે છે. WHOએ કહ્યું કે સ્પષ્ટતા મળ્યા બાદ અંતિમ મૂલ્યાંકન માટે 3 નવેમ્બરે એક બેઠક યોજાશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

WHOએ ટ્વિટ કર્યું, ‘ઓર્ગેનાઈઝેશનનું ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL) સમાવેશ એક સ્વતંત્ર સલાહકાર જૂથ જે WHOને ભલામણ કરે છે કે EUL પ્રક્રિયા હેઠળ કટોકટીના ઉપયોગ માટે એન્ટિ-કોવિડ-19 રસીનો ઉપયોગ કરવામાં આવશે કે નહીં.

ભારત બાયોટેકની રસી કોવેક્સિનને 14 દેશોમાં માન્યતા મળી છે. જેમને 7 કરોડ ડોઝની નિકાસ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ WHOને ખાતરી નથી કે આ રસી અસરકારક અને સલામત છે.

ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે મંગળવારે ભારતની સ્વદેશી રસીને કટોકટીના ઉપયોગની સૂચિમાં સામેલ કરવા માટે કોવેક્સિન પરના ડેટાની સમીક્ષા કરવા માટે બેઠક કરી હતી. આ દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રસીના વૈશ્વિક ઉપયોગને ધ્યાનમાં રાખીને અંતિમ લાભ-જોખમ મૂલ્યાંકન માટે ઉત્પાદક પાસેથી વધારાની સ્પષ્ટતાઓ માંગવાની જરૂર છે.

WHOએ બુધવારે ટ્વીટ કર્યું હતું કે જૂથ આ સ્પષ્ટતા ઉત્પાદક પાસેથી પ્રાપ્ત કરશે.આ અઠવાડિયે તે આ સપ્તાહના અંત સુધીમાં મળે તેવી શક્યતા છે. જેના પર 3 નવેમ્બરે બેઠક યોજવાનું લક્ષ્ય છે. ભારત બાયોટેકે 19 એપ્રિલે WHOને EUL માટે અરજી કરી હતી. કોવેક્સિન કોરોના સામે 77.8 ટકા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં ભારત કોરોના સામેના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં કોવેક્સિનનો ઉપયોગ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂર કરાયેલી છ રસીઓ પૈકી એક તરીકે કરી રહ્યું છે, જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાના કોવિશિલ્ડ અને રશિયન નિર્મિત Sputnik-V સામેલ છે.સૌમ્ય સ્વામીનાથને જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય છે કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરાયેલ રસીઓના વ્યાપક પોર્ટફોલિયોની પહોંચને વિસ્તારવા અને દરેક જગ્યાએ વસ્તી સુધી પહોંચવા માટેનો છે.

આ પણ વાંચો : Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક

આ પણ વાંચો : અમેરિકાએ, ચીનની કંપનીઓને 60 દિવસમાં દેશ છોડવા કહ્યુ, જાસુસીના વઘતા બનાવને લઈને કર્યો નિર્ણય

Next Article