દેશ દુનિયામાં આતંક મચાવનાર ઝિકા વાયરસે હવે રાજસ્થાન અને ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. આ વાઈરસ એટલો ખતરનાક છે કે સમગ્ર દુનિયામાં તેના માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં 60 થી 75 લોકો ઝિકા વાયરસનો ભોગ બન્યા છે. જેમાંથી 45 લોકો સારવાર લઇ સ્વસ્થ્ય થયા છે. પરંતુ તંત્રએ તેના માટે એલર્ટ […]
Follow us on
દેશ દુનિયામાં આતંક મચાવનાર ઝિકા વાયરસે હવે રાજસ્થાન અને ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. આ વાઈરસ એટલો ખતરનાક છે કે સમગ્ર દુનિયામાં તેના માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હાલમાં ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં 60 થી 75 લોકો ઝિકા વાયરસનો ભોગ બન્યા છે.
જેમાંથી 45 લોકો સારવાર લઇ સ્વસ્થ્ય થયા છે. પરંતુ તંત્રએ તેના માટે એલર્ટ જાહેર કર્યું છે. એડિસ મચ્છર ઝિકા વાયરસના વધતા જતા કેસો માટે મહત્વનુ કારણ છે. અમદાવાદમાં એડિસ મચ્છરોનું પ્રમાણ વધુ છે.
ગુજરાત સરકારે બસ, ટ્રેન અને હવાઇયાત્રાથી રાજસ્થાનથી આવનાર લોકોની તપાસ કરવાનું શરૂ કર્યું છે.
એટલું જ નહીં અમદાવાદમાં સિવિલ અને વીએસ હોસ્પિટલમાં ઝિકા વાયરસ માટે ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે.
પરંતુ આ ઝિકા વાયરસ છે શું ?
આ વાઈરસ એડિસ, એડીજી અને અન્ય મચ્છરોથી ફેલાય છે. આ ઉપરાંત ચિકનગુનિયા અને ડેન્ગ્યૂથી પણ ફેલાય છે.