Dwarka : દ્વારકાધીશ મંદિરની ઘટનાની સાથે જાણો, કેમ આકાશમાંથી પડે છે વીજળી, શુ કરવાથી વીજળી પડવા છતા નુકસાન ના થાય ?

|

Jul 15, 2021 | 10:57 AM

ગુજરાતના દ્વારકા (Dwarka)માં પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર (dwarka temple)ના શિખર ધ્વજ પર વીજળી(lightning) પડવાની ઘટના બની હતી. જેના કારણે શિખર પર રહેલા પાટલીના 2 ભાગને નુકસાન પહોંચ્યું હતુ.જેનાથી 52 ગજની ધ્વજાને તો નુકસાન થયું પરંતુ મંદિરને કોઈ નુકસાન પહોંચ્યું નથી.ઘટનાને જોનારા અને સ્થાનીક લોકો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માને છે.

Dwarka : દ્વારકાધીશ મંદિરની ઘટનાની સાથે જાણો, કેમ આકાશમાંથી પડે છે વીજળી, શુ કરવાથી વીજળી પડવા છતા નુકસાન ના થાય ?
What is the science behind the lightning strike on Dwarkadhish temple

Follow us on

Dwarka : દ્વારકા જિલ્લામાં થોડા દિવસો પહેલા  વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો. ત્યારે દ્વારકા જગત મંદિર ( dwarka temple ) પાસે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે.  વીજળી ( lightning ) વાહકની શોધ મહાન વૈજ્ઞાનિક બ્રેજામિન ફ્રંકલિને કરી છે. આ અંગે તજજ્ઞના જણાવ્યાનુસાર, ઉપયોગિતાના આધાર પર Lightening Arrester અનેક પ્રકારના હોય છે.

ગુજરાતના દ્વારકા (Dwarka)માં પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ( dwarka temple )ના શિખર ધ્વજ પર વીજળી(lightning) પડવાની ઘટના બની હતી. જેના કારણે શિખર પર રહેલા પાટલીના 2 ભાગને નુકસાન પહોંચ્યું હતુ. જેનાથી 52 ગજની ધ્વજાને તો નુકસાન થયું પરંતુ મંદિરને કોઈ નુકસાન પહોંચ્યું નથી. રહેણાક વિસ્તારમાં વીજળી ન પડવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ વીજળી પડવાના કારણે મંદિરની દીવાલ કાળી પડી ગઈ છે.

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયા બાદ સોશિયલ મીડિયા (social media) પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટનાને જોનારા અને સ્થાનીક લોકો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માને છે. અંદાજે 2200 વર્ષ જુનું આ મંદિર પ્રત્યે લોકોની ખુબ જ આસ્થા જોડાયેલી છે. લોકોને ભગવાન પર વિશ્વાસ પણ છે. લોકો આ ઘટનાને ભગવાનની કૃપા માની રહ્યા છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

લોકોની આસ્થા પર સવાલ નથી પરંતુ એક્સપર્ટ આ ઘટના વિજ્ઞાનીક રીતે જોવાનું કહે છે. વીજળી (lightning) પડવાથી ઈમારત ધરાશાઈ થાય છે. લોકોના મોત થાય છે, પરંતુ આ ઘટનામાં કોઈને જાનમાલનુ નુકસાન થયું નથી. અંતે શું છે આની પાછળનું વિજ્ઞાન

આપણે આપણી આસપાસ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને વિશે આપણે વધુ વિચારતા નથી. કેટલીક ઇમારતો (Buildings)ની છત પર એરિયલની જેમ એક વસ્તુઓ જોઈ હશે. મંદિરના શિખર પર મોટા ટાવર પર પાણીની ટાંકી, મોટા બસ સ્ટોપ પર, રેલવે સ્ટેશન પર, એરપોર્ટ પર તેમજ અન્ય સાર્વજનિક જગ્યા તમે એક વસ્તુ સામાન્ય લાગતી હશે.

લોખંડના સળિયા જેવી આ વસ્તુ મંદિરના શિખર પર ત્રિશૂલના આકરની હોય છે. તો અન્ય ઇમારતોની છતો પર આ સૌથી ટોર્ચ પર દેખાય છે. શોભા વધારવા માટે કોઈ અન્ય ઉદ્દેશ્યથી લગાવવામાં આવતી નથી પરંતુ આ તે વસ્તુ છે જે વીજળીના લીધે થતાં નુક્સાનથી બચાવે છે.

આ લોખંડના સળિયાને વીજળી-વાહક કહે છે. શાળામાં તમે સાયન્સમાં આ નામ વિશે સાંભળ્યું હશે. તેને ટ્રાન્સફોર્મર ઉપર પણ લગાવવામાં આવે છે કારણ કે, ટ્રાંસફૉર્મરથી આપણા ઘરનું કનેક્શન જોડાયેલું હોય છે. તેની ઉપર વીજળી-વાહક ન લગાડેલું હોય તો વીજળી પડવાથી આપણા ઘરને નુક્સાન પહોંચે છે.

કેવા હોય છે Lightening Arrester

  1. ઈલેક્ટ્રોલાઈટિક એરેસ્ટર
  2. રોડ ગેપ એરેસ્ટર
  3. સ્ફેયર ગેપ એરેસ્ટર
  4. હૉન ગેપ એરેસ્ટર
  5. મલ્ટીપલ ગેપ એરેસ્ટર
  6. એક્સપલ્સન ટાઈપ
  7. લાઈટનિંગ એરેસ્ટર

કેટલી ખતરનાક હોય છે વીજળી

વીજળી(lightning) અને વીજળી-વાહક વિશે વિસ્તારથી જાણવા માટે અમે બિહારમાં ફિઝિક્સના પ્રોફેસર સરયુગ પ્રસાદ ગુપ્તા સાથે વાત કરી હતી. પ્રો ગુપ્તાએ જણાવ્યું કે, વાદળો અથડાવાથી વીજળી પડવાની ઘટના બને છે. આ ઘરતી પર એક વર્ષમાં 1.60 કરોડ વખત વીજળી પડે છે. તેનું તાપમાન 30 હજાર કેલ્વિન બરાબર હોય છે.

માણસ હોય કે જાનવરો કે પછી મોટી ઈમારતો પર વીજળી પડવાથી તેનો નાશ કરે છે. માણસ અને જાનવર પર વીજળી પડવાથી તેમનું મોત થાય છે. ત્યારે વીજળી પડવાથી બચવા માટે વીજ વાહક લગાડવામાં આવે છે.

કોણે બનાવ્યું અને કેવી રીતે કામ કરે છે

વીજળી-વાહકની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક-બ્રેજામિન ફ્રેંકલિને કર્યો છે. પ્રો.ગુપ્તાએ જણાવ્યું કે, અનેક પ્રકારના લાઈટનિંગ એરેસ્ટર હોય છે.મોટાભાગના લોંખડના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉંચાઈ અંદાજે 3 ફીટ ઉંચી હોવી જોઈએ. તેને કૉપર કેબલ અથવા ત્રાંબાના વાયરથી જમીનની અંદર કનેક્શન આપવામાં આવે છે. જેને આપણે અર્થિંગ કહીએ છીએ, તેની સાથે જોડવામાં આવે છે.

જે રીતે વીજળી (lightning)પડે છે. તેની સાથે વીજળી વાહકના માધ્યમથી તમામ ઉર્જા સીધી જ જમીનમાં જાય છે.ધરતી સંપૂર્ણ રીતે ન્યુટૂલ હોય છે તે આકાશીય વીજળીના પાવર સંપૂર્ણપર્ણ થાય છે. પ્રો ગુપ્તાએ જણાવ્યું કે, દ્વારકાધીશ મંદિર પર વીજળી (lightning)પડવાથી વધુ નુકસાન ન થવા પાછળનું કારણ આ જ હશે. પરંતુ લોકોની આસ્થા અને વિશ્વાસ એક અલગ વિષય છે.

આ પણ વાંચો  : Potato Farming : બટાકાના પાકમાં રોગને શોધી કાઢશે આ ટેકનોલોજી, માત્ર લેવો પડશે છોડનો ફોટો

Next Article