પશ્ચિમ બંગાળમાં (West Bengal) આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ઘરે-ઘરે ત્રિરંગા ઝુંબેશની હાકલ કરી છે. તેને જોતા દેશભરના લોકો પોતાના ઘરોમાં ત્રિરંગો લહેરાવી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અવારનવાર કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવતા રહ્યા છે. હવે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર મમતા બેનર્જીએ કહ્યું કે તેમના માટે ‘ભારત’નો અર્થ શું છે. તેમણે હેશટેગ #MyIdeaForIndiaAt75 દ્વારા લોકો પાસેથી જાણવા માંગ્યું છે કે તેમના મતે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠનો અર્થ શું છે.
જણાવી દઈએ કે તાજેતરમાં જ મમતા બેનર્જી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને લઈને આયોજિત બેઠકમાં સામેલ થયા હતા. તૃણમૂલ કોંગ્રેસ તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ બેઠકમાં સીએમ મમતા બેનર્જીને બોલવાની તક આપવામાં આવી નથી.
INDIA… Where diversity THRIVES despite differences.
INDIA… Where people of varied cultures and religions peacefully COEXIST.
INDIA… Where democratic values and people’s rights are UPHELD.
Yes, this is our INDIA!
(1/2)
— Mamata Banerjee (@MamataOfficial) August 13, 2022
મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું, ભારત… જ્યાં મતભેદો હોવા છતાં વિવિધતા ખીલે છે. ભારત… જ્યાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકો શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે. ભારત… જ્યાં લોકતાંત્રિક મૂલ્યો અને લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે. હા, આ આપણું ભારત છે! શું આપણે સૌને આ સુંદર વૈવિધ્યસભર ભૂમિનો ગર્વ નથી? આપણા માટે ભારત એટલે એકતા. પરંતુ, અમારો મત અલગ છે. તો પછી, મારા સાથી ભારતીયો, આ મહાન રાષ્ટ્ર માટે તમારો શું મત છે?
મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર વિચારધારા લાદવાનો આરોપ લગાવી રહી છે. જો કે મમતા બેનર્જીએ શનિવારે ટ્વીટમાં કોઈપણ પાર્ટી પર નિશાન સાધ્યું ન હતું, પરંતુ તેઓ ભારતનો અર્થ શું છે તેનો સંદેશ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતનો અર્થ છે વિવિધતામાં એકતા, જ્યાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકો સુમેળમાં રહે છે અને જ્યાં લોકતાંત્રિક મૂલ્યો અને અધિકારોનું રક્ષણ થાય છે. આ દેશમાં અલગ-અલગ વિચારધારાના લોકોને તેમના મંતવ્યો સાથે સન્માન આપવામાં આવે છે.
Published On - 5:15 pm, Sat, 13 August 22