Breaking News : રાતે 9 વાગ્યે બંગાળના રસ્તાઓ પર ચાલ્યા બુલડોઝર, TMCના ઓફિસને કર્યું ધ્વસ્ત! મમતાની પાર્ટીએ કહ્યું કે ‘BJPએ…’

પશ્ચિમ બંગાળ રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો જીતી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 80 બેઠકો મેળવી શકી છે. બંગાળ ચૂંટણી પરિણામો બાદ હિંસાના બનાવો નોંધાયા છે. મંગળવારે, 5મી મે 2026ના રોજ કોલકાતાના હોગ માર્કેટમાં TMCનું ઓફિસને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.

Breaking News : રાતે 9 વાગ્યે બંગાળના રસ્તાઓ પર ચાલ્યા બુલડોઝર, TMCના ઓફિસને કર્યું ધ્વસ્ત! મમતાની પાર્ટીએ કહ્યું કે ‘BJPએ...’
West Bngal Bulldozer
| Updated on: May 06, 2026 | 8:33 AM

પશ્ચિમ બંગાળમાં રાત્રે 9 વાગ્યે કેટલાક લોકો ઇમારત તોડી પાડવા માટે બુલડોઝર લઈને પહોંચ્યા હતા. ટીએમસીની યુનિયન પાર્ટી ઓફિસને જમીનદોસ્ત કરવામાં આવી હતી. ટીએમસીનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ કોલકાતાના હોગ માર્કેટમાં ઘણી દુકાનો તોડી પાડી છે.

ઝીરો ટોલરન્સ અભિગમનો નિર્દેશ

મંગળવાર 5મી મે 2026ના રોજ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને રાજ્યમાં તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને પોસ્ટ પોલ પ્રત્યે ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી સોમવાર સાંજથી રાજ્યના અનેક ભાગોમાં હિંસાના અહેવાલો સામે આવ્યા બાદ આ નિર્દેશ આવ્યો હતો.

ટીએમસીએ લગાવ્યો તોડફોડનો આરોપ

ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે તેની ઘણી પાર્ટી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી છે અને તેના કાર્યકરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. દક્ષિણ કોલકાતાના ટોલીગંજ વિસ્તારમાં ટીએમસીના ભૂતપૂર્વ ધારાસભ્ય અરૂપ બિસ્વાસના પાર્ટી ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બેલિયા ઘાટા વિસ્તારમાં ટીએમસીના એક કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને એક કાર્યકરને માર મારવામાં આવ્યો હતો. ટીએમસીએ એવો પણ દાવો કર્યો હતો કે અભિષેક બેનર્જીની ઓફિસ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટનાઓ બાદ ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને સીએપીએફના કર્મચારીઓને આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવા અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

નકલી પોસ્ટ ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી

આગામી દિવસે કોલકાતા પોલીસે સોશિયલ મીડિયા પર નકલી અથવા ઉશ્કેરણીજનક પોસ્ટ ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જે શહેરમાં અશાંતિ ફેલાવી શકે છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને આવી પોસ્ટ શેર ન કરવા વિનંતી કરી હતી. ચૂંટણી પરિણામો પછી હિંસાનો દાવો કરતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા બાદ આ ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો, “રાજભવન જવાનો સવાલ જ નથી, હું ચૂંટણી હારી નથી, હું રાજીનામુ નહીં આપુ”–દીદીએ હારનું ઠીકરુ EC પર ફોડ્યુ

Follow Us